ઉત્તરાયણને લઇને અંબાલાલ પટેલની આગાહી, પતંગ રસિયાઓને ઠંડીથી મળશે રાહત

ઉત્તરાયણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તરાયણમાં 14થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં રાહત મળશે. તેમજ કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે.

અંબાલાલ પટેલે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

-> 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે :- અંબાલાલ પટેલે 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. સાથે સાથે, મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે. તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.

Related Posts

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Fake WhatsApp Trap

Suratમાં ₹40 લાખની સાયબર છેતરપિંડી: નકલી WhatsApp પ્રોફાઇલથી કંપની માલિકના ખાતામાંથી ઉડાવ્યા લાખો રૂપિયા Surat Cyber Crime News 2026: ગુજરાતના Surat શહેરમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક કંપનીના 64 વર્ષીય માલિકને નિશાન બનાવીને સાયબર ઠગોએ ₹40 લાખની રકમ પડાવી લીધી હોવાનો આરોપ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઠગોએ કંપનીના માલિકના નામે નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી અને કર્મચારીને વિશ્વાસમાં લઈને કંપનીના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ મામલે પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે માત્ર સામાન્ય લોકોને જ નહીં પરંતુ વ્યવસાયિકો, કંપની માલિકો અને તેમના કર્મચારીઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. ખાસ કરીને કંપનીના નાણાકીય વ્યવહારો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *