દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં TMC અને SP આમ આદમી પાર્ટીની સાથે, આપ્યો ખુલ્લો સપોર્ટ

દિલ્હી વિધાનસભાચૂંટણીમાં TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે.. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપનો સફાયો કરી દેશે

-> TMCએ દિલ્હીમાં AAPને સમર્થન આપ્યું :- ટીએમસી નેતા કુણાલ ઘોષે કહ્યું કે અમને આશા છે કે દિલ્હીમાં ફરીથી આમ આદમી પાર્ટીની સરકાર આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થઈ જશે.

-> અખિલેશે કહ્યું માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે :- આ પહેલા મંગળવારે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ મંચ શેર કરશે. અખિલેશ યાદવે કહ્યું હતું કે દિલ્હીમાં તેઓ કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે. તેમણે કહ્યું કે માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે.

આ રીતે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીની ચૂંટણીમાં ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓ કોંગ્રેસથી દૂર થઈને આમ આદમી પાર્ટીના સમર્થનમાં આવી ગઈ છે.અખિલેશ યાદવે જે રીતે કોંગ્રેસને સમર્થન આપવાનું ખુલ્લેઆમ જાહેર કર્યુ છે, તે જોતાં આગામી દિવસોમાં રાજકારણ વધુ સક્રિય થવાનું છે.કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે AAPને સમર્થન આપવાના નિવેદન પર અખિલેશ યાદવને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, “જો તે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મને શેર કરશે તો દિલ્હીમાં સપાના મતદારો હંમેશા માટે કોંગ્રેસ તરફ શિફ્ટ થઈ જશે. આ અમારો ફાયદો છે. અરવિંદ કેજરીવાલ હારી રહ્યા છે, તેમાં કોઈ શંકા નથી. તેઓએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલને મત આપનારા મોટાભાગના મતદારો આ વખતે તે શીલા દીક્ષિતને યાદ કરી રહ્યા છે.

Related Posts

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *