નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર

દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં થાય, માટે ગભરાવાની જરૂર નથી. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે.

-> કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું હતું :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા હવામાં ફેલાય છે અને તે તમામ વય જૂથના લોકોને અસર કરી શકે છે. તેનો વ્યાપ ખાસ કરીને શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તાજેતરના સમયમાં ચીનમાં HMPVના કેસમાં વધારો થયો હોવાના અહેવાલો છે. આના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આના પર ધ્યાન આપી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ ચેપમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.

-> દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી હતી :- આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોને HMPV વાયરસથી ન ગભરાવવાની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી, તે પહેલા પણ દેખાઈ ચૂક્યો છે અને હવે ફરી એકવાર તેની અસર દેખાઈ રહી છે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને માહિતી આપવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને માત્ર સત્તાવાર માહિતી પ્રસારિત કરવાની અપીલ કરી છે.

-> તમિલનાડુ સરકારે શું કહ્યું ? :- હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે માહિતી આપતાં તમિલનાડુ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં તેના બે કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે કહ્યું કે આ વાયરસ નવો નથી અને તે પહેલાથી જ ફેલાયેલ વાયરસ છે, જેની ઓળખ 2001માં કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે HMPV સંક્રમણ સ્વ સિમિત છે, જે જાતે જ ઠીક થઈ જાય છે. આ માટે પર્યાપ્ત આરામ અને હાઇડ્રેશનની જરૂર છે. તેની સારવારમાં સહાયક સારવાર આપવામાં આવે છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *