નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર

દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં થાય, માટે ગભરાવાની જરૂર નથી. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે.

-> કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું હતું :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા હવામાં ફેલાય છે અને તે તમામ વય જૂથના લોકોને અસર કરી શકે છે. તેનો વ્યાપ ખાસ કરીને શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તાજેતરના સમયમાં ચીનમાં HMPVના કેસમાં વધારો થયો હોવાના અહેવાલો છે. આના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આના પર ધ્યાન આપી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ શેર કરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ ચેપમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી.

-> દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી હતી :- આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોને HMPV વાયરસથી ન ગભરાવવાની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી, તે પહેલા પણ દેખાઈ ચૂક્યો છે અને હવે ફરી એકવાર તેની અસર દેખાઈ રહી છે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને માહિતી આપવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને માત્ર સત્તાવાર માહિતી પ્રસારિત કરવાની અપીલ કરી છે.

-> તમિલનાડુ સરકારે શું કહ્યું ? :- હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વિશે માહિતી આપતાં તમિલનાડુ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં તેના બે કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે કહ્યું કે આ વાયરસ નવો નથી અને તે પહેલાથી જ ફેલાયેલ વાયરસ છે, જેની ઓળખ 2001માં કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું હતું કે HMPV સંક્રમણ સ્વ સિમિત છે, જે જાતે જ ઠીક થઈ જાય છે. આ માટે પર્યાપ્ત આરામ અને હાઇડ્રેશનની જરૂર છે. તેની સારવારમાં સહાયક સારવાર આપવામાં આવે છે.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *