શું ભારત શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલશે, શેખ હસીનાને કેટલી સજા થઇ શકે છે, શું કહે છે બાંગ્લાદેશના કાયદા ?

તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ ભારત આવ્યા હતા. ત્યારથી તે ભારતમાં રહે છે. જો બાંગ્લાદેશની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર દેશની બાગડોર સંભાળી રહી છે. દરમિયાન બાંગ્લાદેશ સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને ભારત સરકારને પત્ર લખવામાં આવ્યો છે.હાલમાં ભારત સરકાર દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013માં પ્રત્યાર્પણપાત્ર ફોજદારી કેસો અંગે થયેલી સંધિને જોતા ભારત સરકાર શેખ હસીનાને બાંગ્લાદેશ પરત મોકલી શકે છે. શેખ હસીના બાંગ્લાદેશ જશે તો તેમનું શું થશે? આ અંગે બાંગ્લાદેશના કાયદા શું છે? ચાલો તમને જણાવીએ.

-> શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે :- બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશમાં કુલ 51 કાનૂની કેસ નોંધાયેલા છે. જેમાંથી 42 કેસ હત્યાના છે. જે એકદમ ગંભીર છે. આવી સ્થિતિમાં જો શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરે છે. જેથી તેમની સામે નોંધાયેલા કેસોમાં કાર્યવાહી થઈ શકે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશ સરકાર તેમને જેલમાં પણ મોકલી શકે છે.

-> આટલી સજા થઈ શકે છે :- શેખ હસીના વિરુદ્ધ 42 હત્યાના કેસ નોંધાયેલા છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશના કાયદા પર નજર કરીએ તો તે તેમના માટે ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. બાંગ્લાદેશમાં હત્યાના ગુના માટે આકરી સજા છે. બાંગ્લાદેશ પીનલ કોડ, 1860 હેઠળ, હત્યાના ગુના માટે મૃત્યુદંડ પણ આપી શકાય છે. અથવા તો આજીવન કેદ અને દંડ પણ થઈ શકે છે.

-> ભારત પાસે કયો વિકલ્પ છે? :- વર્ષ 2013માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અંગે સમજૂતી થઈ હતી. જેમાં વર્ષ 2016માં સુધારા કરવામાં આવ્યા હતા. આ સંધિ હેઠળ જો કોઈ વ્યક્તિનો ગુનો રાજકીય પ્રકારનો હોય તો કોઈપણ દેશ પ્રત્યાર્પણનો ઈન્કાર કરી શકે છે. પરંતુ સંધિ અનુસાર હત્યા જેવા ગુનાને રાજકીય અપરાધ તરીકે ગણવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ તેમની સામે ઘણા ગંભીર અપરાધિક કેસ નોંધાયેલા છે. હવે જોવાનું એ રહે છે કે ભારત સરકાર આ અંગે શું નિર્ણય લે છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *