મધ્યપ્રદેશ: દેવાસમાં ઘરમાં આગ, પતિ-પત્ની અને 2 બાળકો સહિત આખો પરિવાર બળીને ખાખ

-> દેવાસ: મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થયો હતો. બે માળના મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા :

દેવાસ : મધ્યપ્રદેશના દેવાસમાં એક હ્રદય કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. અડધી રાત્રે અહીં એક મકાનમાં અચાનક આગ લાગી હતી. ઘરની અંદર સુઈ રહેલા પરિવારના ચાર સભ્યોના ગૂંગળાઈ જવાથી ઘટના સ્થળે જ મોત થયા હતા.આગે જ્યારે આબેહૂબ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે લોકોને તેની જાણ થઈ. આ ઘટના સવારે 4.15 વાગ્યાની આસપાસ જણાવવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે ફાયરના ત્રણ ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પણ ઘણું મોડું થઈ ગયું હતું. ચારેય પીડિતોએ દમ તોડી દીધો હતો.મળતી માહિતી પ્રમાણે મૃતકોના નામ પણ સામે આવ્યા છે. મૃતકોની ઓળખ દિનેશ કાર્પેન્ટર (35), ગાયત્રી કાર્પેન્ટર (30), ઇશિકા (10) અને ચિરાગ (7) તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દિનેશ પોતાના પરિવાર સાથે આ ઘરમાં રહેતો હતો. તે ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી ચલાવતો હતો.

તેમના ત્રણ માળના ઘરના ભોંયતળિયે દૂધની ડેરી હતી. આગ બીજા માળે સુતેલા પરિવારને ભરખી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.

Related Posts

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: વડાપ્રધાન મોદીએ આજે દેશને આપ્યો વિકાસનો મંત્ર!

‘મન કી બાત’ની ૧૩૫મી કડી: રાષ્ટ્રના નવનિર્માણ અને જનભાગીદારીનું પર્વ! આજે ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની ૧૩૫મી આવૃત્તિ દ્વારા દેશવાસીઓને સંબોધિત…

આત્મનિર્ભર ગુજરાત તરફ વધુ એક ડગલું! અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નું ભવ્ય લોન્ચિંગ.

ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિ: અમિત શાહે લોન્ચ કરી ‘ભારત ટેક્સી’ સેવા, ડ્રાઇવરો બનશે માલિક! અમદાવાદ: ગુજરાતના પરિવહન અને રોજગાર ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *