Ahmedabad : આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાને મજબૂત કરવા SVPI એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એક્સરસાઇઝનું આયોજન કરાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કુદરતી આફતો દરમિયાન વિવિધ એજન્સીઓ વચ્ચેની સજ્જતા અને સંકલનની સમીક્ષા કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત ‘મોક એક્સરસાઇઝ’ યોજવામાં આવી હતી.

આ કવાયતનું આયોજન NDMA(એનડીએમએ) દ્વારા AAI (એએઆઈ), GSDMA(જીએસડીએમએ) અને NDRF(એનડીઆરએફ)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. મલ્ટિ-હેઝાર્ડ સિનારીયો (બહુવિધ જોખમી પરિસ્થિતિ) પર આધારિત આ કવાયતમાં ભૂકંપ અને તેની અન્ય અસરોનું કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિભાવ પદ્ધતિઓ, ઇન્સિડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ(IRS)ના અમલીકરણ, સંદેશાવ્યવહારની કાર્યક્ષમતા અને સંસાધનોની ગતિશીલતાનું મૂલ્યાંકન કરવાનો હતો.

આ કવાયતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, NDRF, SDRF(એસડીઆરએફ), પોલીસ, ફાયર સર્વિસ અને અન્ય હિતધારકોના અધિકારીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલનને મજબૂત બનાવવાનો, કામગીરીમાં રહેલી ખામીઓને ઓળખવાનો અને કટોકટીના સમયે જાનમાલ તથા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવા માટે સામૂહિક સજ્જતાને વધુ દ્રઢ બનાવવાનો આ મોક એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28…