Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત

અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને થતા નુકસાન અંગેના ગુનાઓ માટે સેક્ટર મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સેક્ટર-1 ની હદ જાણો
જે અંતર્ગત સેક્ટર-1 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-1, ઝોન-7, ઝોન-2 અને ઝોન-3 ના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ, વાડજ, એલિસબ્રિજ, સરખેજ, વાસણા, વેજલપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, સેટેલાઈટ, ચાંદખેડા, માધવપુરા, રાણીપ, સાબરમતી, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, કારંજ, શાહપુર, કાલુપુર, શહેર કોટડા, ગાયકવાડ હવેલી અને ખાડીયા વગેરે વિસ્તારોમાં બનતી ઘટનાઓ માટે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે. આ વ્યવસ્થાથી મુસાફરોને અલગ-અલગ સ્થાનિક પોલીસ સ્ટેશનો વચ્ચે મુંઝવણ અનુભવવી પડશે નહીં.

સેક્ટર-2 ની હદ જાણો
તેવી જ રીતે, સેક્ટર-2 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-4, ઝોન-5 અને ઝોન-6 હેઠળના પોલીસ સ્ટેશનો જેવા કે દરિયાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, નરોડા, સરદાર નગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રામોલ, ઇસનપુર, મણીનગર, વટવા, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ વગેરે વિસ્તારોમાં મેટ્રો ટ્રેન કે મિલકતને લગતા ગુનાઓ માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

જોકે, આ જાહેરનામામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો ટ્રેનની અંદર કે સંપત્તિ સિવાયની અન્ય કોઈ પણ બાબતો જેવી કે પ્લેટફોર્મ ઉપર થતી મારામારીના બનાવો વગેરે માટે જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશને જ કાર્યવાહી કરવાની રહેશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

‘રાહુલ ગાંધીને ઘરમાં ઘુસીને ગોળી મારી દેશું’ – ધમકી આપનારની રાજસ્થાનથી ધરપકડ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 કોંગ્રેસ સાંસદોને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાની ધમકી આપનાર એક વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી…