મૃગી કુંડમાં સ્નાન મુદ્દે કિર્તી પટેલનો વિવાદ: સાધુ-સંતોમાં રોષ, તંત્રની દખલ

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા આવેલા વિવાદિત નામ કિર્તી પટેલને લઈ સાધુ-સંતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સાધુઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કયા અખાડાએ કિર્તી પટેલને પવિત્ર મૃગી કુંડમાં સ્નાન માટે આમંત્રણ આપ્યું? તેમનો આક્ષેપ છે કે કિર્તી પટેલ લાંબા સમય સુધી કુંડમાં સ્નાન કરતી રહી અને રવેડીમાં પણ ફરી હતી. વિરોધ વધતા તંત્રએ કિર્તી પટેલને સ્થળ પરથી દૂર કરી હતી.

“શું હું સનાતની નથી?” – કિર્તી પટેલનો પ્રતિકાર
સાધુ-સંતોના વિરોધ વચ્ચે કિર્તી પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, “શું હું સનાતની નથી?” મૃગી કુંડમાં સ્નાન બાદ કિર્તી પટેલ દ્વારા રૂઆબભર્યું વર્તન કરાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સાધુઓએ નફ્ફટાઇભર્યા વર્તનની ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં કિર્તી પટેલે ટીઆરપી માટે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

નાયબ કલેકટર અને મહંતનું નિવેદન
કિર્તી પટેલના સ્નાન મુદ્દે નાયબ કલેકટરે જણાવ્યું કે સાધુ-સંતોમાં નારાજગી હતી અને જો ધાર્મિક લાગણીઓ દુભાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખાખી મઢીના મહંત સુખરામદાસે જણાવ્યું કે કેટલાક સાંસારિક લોકોએ મૃગી કુંડની પવિત્રતા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદ વધતા તંત્રએ કિર્તી પટેલને દૂર કરી હતી, જેના માટે તેમણે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહાશિવરાત્રી મેળામાં રેકોર્ડબ્રેક ભીડ
આ વર્ષે મહાશિવરાત્રીના અવસરે યોજાયેલા ભવનાથ મેળામાં રેકોર્ડબ્રેક ભીડ નોંધાઈ છે. રાજ્ય સરકારે મીની કુંભ સમાન આયોજન સાથે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

તંત્રના આંકલન મુજબ પાંચ દિવસમાં 24 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા. પ્રથમ ત્રણ દિવસમાં 9થી 10 લાખ લોકો પહોંચ્યા હતા, જ્યારે ચોથા દિવસે અંદાજે 7થી 8 લાખ ભાવિકો હાજર રહ્યા હતા. અંતિમ દિવસે, મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગે વધુ 7 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…