અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ગુજરાતી યુવક-યુવતી બંધક, પરિવાર પાસેથી રૂ. 65 લાખ વસૂલ્યા

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ. 65 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મુંબઈના એજન્ટોની લાલચમાં આવી વિદેશ રવાના
આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ તેમને અઝરબૈજાન અને કેનેડા મારફતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી. એજન્ટોની વાતોમાં આવી બંને 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. યોજના અનુસાર તેમને અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ દિલ્હીથી અઝરબૈજાન લઈ જઈ બંનેને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

વીડિયો કોલ પર મારઝૂડ, ખંડણીની માંગ
પરિવારજનોના જણાવ્યા અનુસાર, વોટ્સએપ વીડિયો કોલ પર યુવકને માર મારતા દ્રશ્યો બતાવી ખંડણીની માંગ કરવામાં આવી હતી. ગભરાયેલા પરિવારજનોએ 35 લાખ રૂપિયા રોકડા તેમજ 15 લાખ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી ચૂકવી હતી. યુવતીના પરિવાર પાસેથી પણ 15 લાખ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી પડાવવામાં આવી હતી. આમ, કુલ મળી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલવામાં આવી હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ એજન્ટો દ્વારા પૈસા ન ચૂકવવામાં આવે તો કિડની કાઢી વેચી નાંખવાની ધમકી અપાઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.

5 શખ્સો સામે ફરિયાદ, LCBને તપાસ સોંપાઈ
આ મામલે ગ્રામ્ય પોલીસ મથકે એજન્ટ પવન સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર કેસની તપાસ LCBને સોંપવામાં આવી છે અને મુંબઈ સ્થિત એજન્ટોની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સાંસદ મિતેષ પટેલે કેન્દ્ર સરકારને કરી રજૂઆત
ઘટનાની જાણ થતાં આણંદના સાંસદ મિતેષ પટેલે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયને ઇમેઇલ દ્વારા રજૂઆત કરી છે. તેમણે 30 જાન્યુઆરીએ વડોદરા-દિલ્હી-અઝરબૈજાન માર્ગે બંને રવાના થયા હોવાનું ઉલ્લેખ કરી, તેમને સુરક્ષિત પરત લાવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, 8 ફેબ્રુઆરીએ એજન્ટે ફોન પર બંનેને છોડી દેવાની વાત કરી હતી, પરંતુ બાદમાં અન્ય નંબરથી મેસેજ આવ્યો હતો કે બંનેને ‘ખાન બાબા’ને વેચી દેવામાં આવ્યા છે. આ મેસેજ બાદ પરિવાર વધુ ભયભીત બન્યો છે.

ગેરકાયદેસર ઈમિગ્રેશન ગેંગ સામે કડક પગલાંની માંગ
આ બનાવે ફરી એકવાર ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટોના રેકેટ પર સવાલો ઊભા કર્યા છે. પોલીસ અને કેન્દ્ર સરકાર તરફથી તાત્કાલિક અને કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…