રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર

રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના
આ ઉપરાંત આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વધુ સતર્કતા રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે.

વીજળીના કડાકા સાથે છૂટાછવાયા ઝાપટાં
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે, ખાસ કરીને પાક કાપણીના સમયમાં.

હવામાન વિભાગે લોકોને ખુલ્લા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને ખેડૂતોને જરૂરી તકેદારી લેવા અપીલ કરી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…

ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારત-જાપાનની મહત્વપૂર્ણ બેઠક, ડિફેન્સ ટેક્નોલોજી પર થશે ચર્ચા

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દરિયાઈ અને સૈન્ય ગતિવિધિઓ વચ્ચે ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે. જાપાનના રક્ષામંત્રી શિંજિરો કોઈઝુમી ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યા છે. તેઓ 20 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશોના રક્ષામંત્રીઓ વચ્ચે યોજાનારી આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સાધનો, ડિફેન્સ ટેક્નોલોજી અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ભારત અને જાપાન બંને હિંદ-પ્રશાંત ક્ષેત્રને મુક્ત, ખુલ્લો, સુરક્ષિત અને સ્થિર રાખવા માટે સહયોગ વધારવા પર ભાર આપી રહ્યા છે. ચીનની ગતિવિધિઓ વચ્ચે બેઠકનું મહત્વ વધ્યું હિંદ-પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી સૈન્ય અને દરિયાઈ હાજરીને કારણે ભારત, જાપાન, અમેરિકા અને અન્ય સહયોગી દેશો વચ્ચે સુરક્ષા…