બલુચિસ્તાનમાં ભયાનક હત્યાકાંડ: પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચે લડાઈમાં 200ના મોત, વિસ્ફોટોથી હાહાકાર

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. બલુચ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 145 બલુચ લિબરેશન આર્મી (BLA)ના લડવૈયાઓ, 17 સુરક્ષા કર્મચારીઓ અને 31 નાગરિકોનો સમાવેશ થાય છે.

પ્રાંતીય મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ પુષ્ટિ કરી છે કે છેલ્લા 40 કલાકથી ચાલી રહેલા દરોડા અને લશ્કરી કાર્યવાહીમાં મૃત્યુઆંક પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટો છે. સમગ્ર પ્રાંતમાં વિસ્ફોટો, ગોળીબાર અને હિંસાને કારણે ભય અને અશાંતિનું માહોલ સર્જાયું છે.

BLA દ્વારા ‘ઓપરેશન હારોફ’નો બીજો તબક્કો
વિદ્રોહી સંગઠન બલુચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનને દબાણમાં મૂકવા માટે ‘ઓપરેશન હારોફ’ના બીજા તબક્કાની જાહેરાત કરી છે. BLAના પ્રવક્તા જિયાંદ બલોચના દાવા મુજબ, લડવૈયાઓએ નોશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના મુખ્યાલય પર કબજો કર્યો હતો અને જિલ્લા જેલમાંથી 30 કેદીઓને મુક્ત કર્યા હતા. બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાની સૈન્યના અનેક એકમોનો નાશ કર્યો છે અને મોટી માત્રામાં શસ્ત્રો તથા દારૂગોળો કબજે કર્યો છે. ક્વેટા, ગ્વાદર અને મુસ્તુંગ સહિતના વિસ્તારોમાં થયેલા આ હુમલાઓએ પાકિસ્તાન સરકાર અને સુરક્ષા એજન્સીઓને હચમચાવી દીધા છે.

ભારત પર આરોપ, ભારતે કર્યો કડક ઈનકાર
પાકિસ્તાનની આંતરિક સ્થિતિ બગડતા પાકિસ્તાની સેના અને સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના આ હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે ફરી એકવાર જૂની યુક્તિઓ અપનાવી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાયાવિહોણા આરોપો લગાવવાને બદલે પાકિસ્તાને પોતાના લોકોની માંગણીઓ સાંભળવી જોઈએ અને બલુચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન બંધ કરવું જોઈએ.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન

બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક…