ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો
ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે.

આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે.

રાજ્યપાલના નામે આદેશ જાહેર
આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય વહીટ વિભાગના અંડર સેક્રેટરી જૈમન શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશની નકલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO), મુખ્ય સચિવ, આરોગ્ય મંત્રી તેમજ સંબંધિત તમામ વિભાગોને જાણ અર્થે મોકલવામાં આવી છે.

આરોગ્ય વિભાગમાં સુચારુ કામગીરી માટે નિર્ણય
આ નિર્ણયનો હેતુ આરોગ્ય વિભાગની શહેરી તથા ગ્રામ્ય સ્તરની કામગીરીમાં સંકલન જળવાઈ રહે અને વહીવટી પ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહે તેવો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પંચાંગ /19 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

જનરલ હોસ્પિટલ આણંદ અને આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયો ‘આરોગ્ય તપાસ કેમ્પ’

સરકારી અધિકારીઓ કર્મચારીઓ કચેરી કામગીરીની સતત વ્યસ્તતાને કારણે ઘણીવાર કર્મચારીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે દુર્લક્ષ સેવતા હોય છે. જે ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી,આણંદના બીજા…