ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે.

તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે છે.

બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતાં ભેજને કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે. જોકે પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થતાં જાન્યુઆરીના અંતમાં ફરી એકવાર ઠંડીનું મોજું વળવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવી શકે છે. બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ જરૂરી સાવચેતી રાખવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…