કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે દિલ્હીમાં બે દિવસીય “આતંકવાદ વિરોધી પરિષદ-2025”નું ઉદ્ઘાટન કર્યું. સંબોધનમાં શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “જીરો ટોલરેન્સ” વિઝનનો પુનરોચ્ચાર કર્યો અને દેશભરમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ સામે તાકીદના પગલાં લેવા હાકલ કર્યો.
ગૃહમંત્રી શાહે કહ્યું કે આ પરિષદ માત્ર ચર્ચા માટેનું મંચ નથી, પરંતુ NIA અને રાજ્ય એજન્સીઓ દ્વારા કામ કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ છે, જે દેશભરના સુરક્ષા નેટવર્કને મજબૂત બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે ટેકનોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને, સલામતી એજન્સીઓને દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
આ દરમિયાન, શાહે NIAના અપડેટેડ ક્રાઈમ મેન્યુઅલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક ડેટાબેઝ અને ખોવાયેલા/લૂંટાયેલા શસ્ત્રોનો ઈ-ડેટાબેઝ લોન્ચ કર્યો. તેઓએ રાજ્યના પોલીસ અધિકારીઓને આ સાધનોનો પ્રભાવશાળી ઉપયોગ કરી સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી નેટવર્કને બંધ કરવા વિનંતી કરી.
પહેલગામ આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં શાહે જણાવ્યું કે સુરક્ષા દળોએ ઑપરેશન સિંદૂર અને ઑપરેશન મહાદેવ દ્વારા આતંકીઓ અને ગુનેગારોને ઠાર કર્યો, જે એવી કાર્યવાહી હતી જેમાં આતંકવાદી કાવતરાના બંને છેડા સામે કાર્યવાહી કરવામાં આવી. તેમણે ATSનું રાષ્ટ્રીય સ્તરે એકીકૃત માળખું બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને “જાણવાની જરૂરિયાત” કરતાં “શેર કરવાની ફરજ”ના સિદ્ધાંતને અપનાવવા હાકલ કર્યો.
શાહે ઉમેર્યું કે જેમ જેમ ભારત આર્થિક રીતે પ્રગતિ કરશે તેમ પડકારો વધશે, અને ભવિષ્યની પેઢીઓ માટે એક અભેદ્ય અને મજબૂત આતંકવાદ વિરોધી માળખું નિર્માણ કરવું જરૂરી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






