ગુજરાત કોંગ્રેસને વર્ષ 2026માં લાગશે મોટો ફટકો, રાજ્યસભામાં એક પણ…

નિકેત સંઘાણી, ગાંધીનગર/ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. બીજી તરફ રાજકીય સોગઠાં ગોઠવાવા લાગ્યા છે. આ દરમિયાન હવે વર્ષ 2026માં ગુજરાત કોંગ્રેસને એક મોટો ફટકો પડશે. ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સાંસદ નહીં રહે.

ગુજરાતમાં હાલ રાજ્ય સભાની કુલ 11 બેઠકો છે. જે પૈકી 1 બેઠક પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. જ્યારે બાકીની 10 બેઠકો પર ભાજપના સાંસદ છે. આ દરમિયાન વર્ષ 2026ના 21 જૂનના રોજ 4 બેઠકો ખાલી થઈ રહી રહી છે. ત્યારે આવનાર ચૂંટણીમાં કદાચ કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે.

વિધાનસભામાં સંખ્યા બળ ઓછું
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ સતત ઘટી રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ફક્ત 12 જ ધારાસભ્ય છે. ત્યારે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવશે અને ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભામાં એક પણ સાંસદ નહીં રહે.

આ સાંસદોનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત
વર્ષ 2026માં કુલ 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જેમાંથી 3 ભાજપના રામભાઇ મોકરિયા, રામિલાબેન બારા અને નરહરિ અમીનનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ સાધ કોંગ્રેસઆ એક માત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

નથી થતું રાજ્યસભાનું વિસર્જન
ભારતનાં સંસદનું ઊપલું સદન એટલે રાજ્યસભા. ભારતીય બંધારણ મુજબ રાજ્યસભાનાં 250 સભ્યો છે. 250માંથી 11 સભ્યો ગુજરાતનાં છે. રાજ્યસભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત 6 વર્ષની હોય છે. જેમાનાં 12 નામાંકિત સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

 

Related Posts

‘વારંવાર રજૂઆત છતાં કોઈ મારી વાત નહોતું સાંભળતું’, હરભજન સિંહે AAP છોડવાનું કારણ જણાવ્યું

પૂર્વ ભારતીય ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા પાછળના કારણો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હરભજન સિંહે દાવો કર્યો છે કે AAPમાં રહીને તેમણે પંજાબના રમતગમત ક્ષેત્ર માટે અનેક સૂચનો અને રજૂઆતો કરી હતી, પરંતુ તેમના વિચારો પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. તેમના જણાવ્યા મુજબ, તેઓ રાજકારણ કરતાં રમતગમતના વિકાસ માટે કામ કરવાની આશા સાથે AAPમાં જોડાયા હતા. હરભજન સિંહે એપ્રિલ 2026માં AAP છોડીને BJPનો ખેસ ધારણ કર્યો હતો. તેઓ રાઘવ ચઢ્ઢા સહિત AAPના અન્ય છ રાજ્યસભા સાંસદો સાથે BJPમાં જોડાયા હતા. તેમના રાજકીય પક્ષપલટા બાદ પંજાબના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. હરભજન સિંહ રમતગમતના વિકાસ માટે રાજકારણમાં આવ્યા હતા હરભજન સિંહના જણાવ્યા પ્રમાણે,…

ટેટૂની શાહીથી કેન્સર અને HIVનો ખતરો? કર્ણાટક સરકારની ચિંતા વચ્ચે જાણો ટેટૂ કરાવતાં પહેલાં શું ધ્યાન રાખવું

આજના સમયમાં ટેટૂ માત્ર શરીર પર બનાવવામાં આવતું ચિત્ર નથી રહ્યું, પરંતુ યુવાનો માટે સ્ટાઇલ અને પોતાની ઓળખ વ્યક્ત કરવાનો એક લોકપ્રિય માધ્યમ બની ગયું છે. જોકે, ટેટૂની વધતી લોકપ્રિયતા સાથે તેની સલામતી અને સ્વચ્છતાને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે ટેટૂ પાર્લરો અને ટેટૂની શાહીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને દેશભરમાં એકસમાન નિયમો બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. ટેટૂ બનાવતી વખતે સોય ત્વચામાં પ્રવેશ કરે છે અને શાહીના પિગમેન્ટને ત્વચાના ડર્મિસ સ્તરમાં પહોંચાડે છે. જો પ્રક્રિયા દરમિયાન સ્વચ્છતા અને સ્ટેરિલાઇઝેશનના નિયમોનું પાલન ન થાય તો ચેપ, એલર્જી અને લોહી દ્વારા ફેલાતા રોગોનું જોખમ વધી શકે છે. ટેટૂની વધતી લોકપ્રિયતા વચ્ચે નિયમનની માંગ ભારતમાં ટેટૂ સ્ટુડિયો અને પાર્લરોની સંખ્યા છેલ્લા…