SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળ
– SIR પ્રક્રિયા દરમિયાન 58,20,898 નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર થયા.
– રાજ્યના કુલ મતદારો 7,66,37,529માંથી ઘટીને 7,08,16,630 થયા.
– મોટાભાગના નામ દૂર થતા લોકોના મૃત્યુ પામવું અથવા સ્થળાંતર થયા હોવાનું કારણ છે.
– આશરે 30 લાખ મતદારોની વિગતો જૂની યાદી સાથે મેળ ખાતી નથી; તેમને સુનાવણીમાં ભાગ લઇ દસ્તાવેજો દ્વારા પાત્રતા સાબિત કરવાની તક આપવામાં આવશે.

રાજસ્થાન
– કુલ મતદારો 5,46,56,215માંથી 42 લાખના નામ દૂર થયા.
– ફોર્મ જમા કરાવનાર મતદારો: 5,04,71,396.
– 8.75 લાખ લોકો મૃત્યુ પામેલા અને 29.6 લાખ લોકો સ્થળાંતરિત અથવા ગેરહાજર જણાયા.
– આશરે 11 લાખ મતદારોને નોટિસ મોકલવામાં આવશે.
– સૌથી વધુ નામ જયપુર જિલ્લામાં દૂર થયા.

ગોવા
– કુલ મતદારો: 11,85,034
– ફોર્મ સબમિટ કરનાર: 10,84,992
– 1,00,042 લોકોએ નામ નવી યાદીમાં નથી.
– પાત્ર મતદારો 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી ફરી અરજી કરી શકે છે.

લક્ષદ્વીપ
– કુલ મતદારો: 57,813
– ફોર્મ સબમિટ કરનાર: 56,384
– 1,429 લોકોના નામ નવી ડ્રાફ્ટ યાદીમાં નથી.
– પાત્ર મતદારો 15 જાન્યુઆરી, 2026 સુધી ફરીથી અરજી કરી શકે છે.

ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે જે લોકોના નામ યાદીમાં નથી, તેમને પાત્રતા સાબિત કરીને ફરીથી અરજી કરવાની તક મળશે. આ તબક્કો મતદારો માટે અનિવાર્ય છે, અને ફોર્મ ભરવાના સમયસીમામાં માત્ર પાત્ર મતદારો જ પોતાના નામને નવી યાદીમાં શામેલ કરી શકશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…