અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી પોલીસ કસ્ટડીમાં નહીં લેવામાં આવે, જાણો આખો મામલો

કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને લઈ ગૃહમંત્રાલયે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. BNSSની કલમ 303 હેઠળ જાહેર કરાયેલા આ આદેશ મુજબ દેશની કોઈ પણ રાજ્ય પોલીસ કે તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈને આગામી 1 વર્ષ સુધી કસ્ટડીમાં લઈ શકશે નહીં. હવે જો કોઈ એજન્સીને તેની પૂછપરછ કરવાની હોય, તો તેને માત્ર તિહાડ જેલમાં જ પૂછપરછ કરવાની છૂટ રહેશે.

ગૃહમંત્રાલયે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા, જેલ સુરક્ષા, અને કાનૂન-વ્યવસ્થા પર પડતી અસરને ધ્યાનમાં રાખીને લીધો છે. આ જ પ્રકારનો આદેશ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ છે, જે હાલમાં સાબરમતી જેલમાં બંધ છે.

BNSS ની કલમ 303 શું કહે છે?
BNSS (Bharatiya Nagarik Suraksha Sanhita) ની કલમ 303 અનુસાર, ગૃહમંત્રાલય પાસે અધિકાર છે કે તે કોઈ પણ બંધ કેદીને તેની હાલની જેલમાંથી બહાર ન કાઢવાનો આદેશ આપી શકે. આ પગલાનો મુખ્ય હેતુ:
– કાનૂન-વ્યવસ્થા જાળવવી
– સુરક્ષા જોખમ ટાળવા
– ગેંગ કનેકશનો અથવા હુમલા અટકાવવો

NIA ની ખાસ કાર્યવાહી અને કોર્ટ સુનાવણી
અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ NIA એ અનમોલ બિશ્નોઈને તાત્કાલિક ધરપકડ કર્યો હતો.પછી તેની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.
– પહેલી વાર 11 દિવસની કસ્ટડી
– બાદમાં વધુ 7 દિવસની વધારાની રિમાન્ડ
– પૂછપરછમાં ગેંગની આંતરિક વિગતો મેળવવાનો પ્રયાસ
– છેલ્લી સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા

2022 થી ફરાર, વિદેશમાં ગેંગનું સંચાલન
અનમોલ બિશ્નોઈ વર્ષ 2022 થી ફરાર હતો અને વિદેશમાંથી ગેંગનું સંચાલન કરતો હતો. અમેરિકામાં તેને નકલી દસ્તાવેજો અને ગેરકાયદેસર રીતે રહેવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પછી તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો અને અહીં પહોંચતા જ NIA એ ધરપકડ કરી હતી.

લોરેન્સ બિશ્નોઈ જેવો જ કેસ
તેનો મોટો ભાઈ લોરેન્સ બિશ્નોઈ ઉપર પણ BNSS કલમ 303 લાગુ છે. તેને સાબરમતી જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ છે. બન્ને ભાઈઓના કારણે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ખૂબ સતર્ક થઈ છે અને ગેંગ નેટવર્ક તોડવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…

‘ગોબરધન’ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી, 23,731 કરોડના ખર્ચે દેશભરમાં શરૂ થશે 700 સુધીના બાયોગેસ પ્લાન્ટ

દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) માટેની રાષ્ટ્રીય એકીકૃત ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. સરકારનો હેતુ આગામી દાયકામાં દેશમાં CBGનું ઉત્પાદન લગભગ દસ ગણું વધારવાનો અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ઓગસ્ટે વિશ્વ જૈવ-ઈંધણ દિવસના અવસરે આ યોજનાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શું છે ‘ગોબરધન’ યોજના? ‘ગોબરધન’ એટલે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના. તેની શરૂઆત વર્ષ 2018માં…