એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે.

નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનના માધ્યમમાંથી કંપનીઓને બિઝનેસ મળવાની સાથેસાથે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં હોટલ સહિત વિવિધ નાના-મોટા વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે.

તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સાથે આ વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. તેના માધ્યમથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 80 થી 100 દિવસ સુધી વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન યોજાય છે જેના પરિણામે સ્થાનિક

વેપારીઓને ખૂબ મોટો વેપાર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન સેન્ટર ખાતે આવનાર કંપનીઓને વધુ સારી સુવિધા આપવાના ઉદ્દેશ સાથે આગામી સમયમાં આ સેન્ટરને વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈને AI તેમજ રોબોટ આધારિત મશિનરીની માહિતીની સાથે-સાથે ટેકનોલોજીમાં અપડેટ વિશે કંપની માલિકો પાસેથી વિગતો મેળવી સંવાદ કર્યો હતો. વધુમાં આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઈક ઈન ઈન્ડિયા’,’આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી અભિયાન’ને વધુ પ્રોત્સાહન આપીને ભારતને એન્જિનિયરિંગ મશિનરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ આત્મનિર્ભર બનાવવા સૌ ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો.

અંદાજે 01 લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં 10,000 વધુ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું છે.એક્ઝિબિશનમાં વિવિધ ઉદ્યોગો વચ્ચે ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’ પણ યોજાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો Rule Defiance 2026

Tarnetarમેળામાં ડ્રોન પ્રતિબંધના ભંગ અંગે વિવાદ: તંત્રના જાહેરનામા વચ્ચે ડ્રોન ઉડતાં કામગીરી પર સવાલો સુરેન્દ્રનગર: ગુજરાતના પ્રસિદ્ધ Tarnetar મેળા દરમિયાન ડ્રોન ઉડાડવા અંગેનો વિવાદ સામે આવ્યો છે. મેળાની સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં મેળા વિસ્તારમાં ડ્રોન ઉડતા હોવાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને મેળા દરમિયાન જાહેરમાં ડ્રોન ઉડાડવાની મંજૂરી હતી કે નહીં અને જો પ્રતિબંધ હતો તો તેનો અમલ કેટલો અસરકારક રહ્યો તે અંગે ચર્ચા શરૂ થઈ છે. Tarnetarનો મેળો રાજ્યના જાણીતા લોકમેળાઓમાંનો એક છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડનું સંચાલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા…

GSRTC : તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. Safe Journey

તહેવારો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે GSRTC સજ્જ, પર્યાવરણ સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ બેગ્સનું વિતરણ કરાશે ગાંધીનગર: GSRTC  ગુજરાતમાં તહેવારો અને ધાર્મિક મેળાઓની સિઝન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન અને યાત્રા માટે પહોંચતા હોય છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સેવા મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળો અને મેળાઓમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોને પરિવહન સેવા પૂરી પાડવા માટે GSRTC સજ્જ છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે GSRTCની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ યોજાતા મેળાઓ અને તહેવારો દરમિયાન શ્રદ્ધાળુઓને સરળ અને સુગમ પરિવહન ઉપલબ્ધ કરાવવામાં…