વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા

ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું.

વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ
ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું.

ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ
વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય વહીવટને વધુ નાગરિક કેન્દ્રિત, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ‘ચિંતન શિબિર’ની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે શિબિરની થીમ “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” રાખવામાં આવી છે, જે સરકારના સંગઠિત પ્રયાસો દ્વારા સર્વાંગિણ વિકાસને નવી ગતિ આપવાનો હેતુ ધરાવે છે.

શિબિરનું મહત્વ અને ઉદ્દેશો
– રાજ્ય વહીવટમાં પારદર્શકતા અને અસરકારકતા વધારવી
– નાગરિક કેન્દ્રિત શાસનનાં નવા મોડલ પર ચર્ચા
– વિકાસકાર્યોનું મૂલ્યાંકન અને ભવિષ્યની કાર્યયોજનાની રચના
– ટેકનોલોજી અને નવતર પદ્ધતિઓ દ્વારા સુશાસન મજબૂત કરવું
– ચિંતન શિબિર દરમિયાન નીતિનિર્માણ, વિકાસ પ્રોજેક્ટો, સામાજિક કલ્યાણ અને વહીવટી પ્રણાલીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…