PM મોદીએ પાઠવ્યા અભિનંદન: અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળી ગયું

ભારત માટે ગર્વની ક્ષણ આવી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ અમદાવાદને મળ્યું છે, અને ભારતે આ ગૌરવશાળી આયોજનનો અધિકાર જીત્યો છે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદીએ દેશને અભિનંદન પાઠવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિષયને લઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,”મને આનંદ છે કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે બિડ જીતી લીધી છે. ભારતના લોકો અને રમતગમત જગતને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાએ ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાપિત કર્યું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે અમે આ ઐતિહાસિક રમતોને ખૂબ ઉત્સાહ સાથે ઉજવવા આતુર છીએ.”

અમિત શાહે પણ અભિનંદન આપ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,”અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ યોજવાના અધિકાર માટે ભારત તરફથી બિડ જીતવા બદલ સમગ્ર દેશના નાગરિકોને અભિનંદન. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દાયકાથી વધુ મહેનતનો પરિણામ છે, જેના કારણે ભારત હવે વૈશ્વિક રમતગમત કેન્દ્ર બની રહ્યું છે.”

રમતગમત મંત્રીનો ભાવ
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું,”અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન આપવાનું નિર્ણય ભારત માટે ગર્વની ક્ષણ છે. દેશ 2047 સુધી રમતગમતનું પાવરહાઉસ બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ આયોજન ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત કરશે.”

કોમનવેલ્થ સ્પોર્ટ્સના અધ્યક્ષનું નિવેદન
કોમનવેલ્થ સ્પોર્ટ્સના અધ્યક્ષ ડૉ. ડોનાલ્ડ રુકારએ જણાવ્યું, “આ ગેમ્સ કોમનવેલ્થ સ્પોર્ટ માટે નવા સુવર્ણ યુગની શરૂઆત દર્શાવે છે. Ahmedabad 2030 ખાસ શતાબ્દી સંસ્કરણનું આયોજન કરશે, જે રમતગમતના દર્શકો માટે યાદગાર રહેશે.”

વિશ્વસ્તરીય પ્રતિસ્પર્ધા બાદ જીત
2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતનો મુખ્ય મુકાબલો નાઇજીરીયા સાથે હતો, પરંતુ કોમનવેલ્થ ગેમ્સે આફ્રિકન દેશને 2034 માટે વિચારવાનો નિર્ણય કર્યો. આ સાથે ભારતને અંતિમ યજમાનપદ પ્રાપ્ત થયું.

ભારત માટે આ વિજય એ માત્ર ગૌરવની બાબત નથી, પરંતુ દેશના રમતગમતનું વિશ્વસ્તરીય માન્યતા પ્રાપ્ત કરવાની તક પણ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…

ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ… Bountiful

ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ: કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં મેઘમહેર  ગુજરાતમાં 24 કલાકમાં 109 તાલુકામાં વરસાદ | કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 109 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે ધરમપુર અને નાનાપોંઢામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. જાણો જિલ્લાવાર વરસાદની સ્થિતિ. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 109 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું રાજ્યના હવામાન વિભાગના આંકડાઓમાં સામે આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ પડ્યો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક…