ઇટાલીના કેથોલિક ચર્ચમાં હડકંપ, 4,400 થી વધુ લોકોના જાતીય શોષણના ચોંકાવનારા આરોપો

ઇટાલીનું કેથોલિક ચર્ચ એક વાર ફરી ગંભીર આરોપોના વાવાઝોડામાં છે. પાદરીઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો પર 4,400 થી વધુ જાતીય શોષણના કિસ્સાઓના સનસનીખેજ આરોપો લાગ્યા છે. આ આંકડા બહાર આવતા જ વિશ્વભરના કેથોલિક સમુદાયમાં આંચકો ફેલાયો છે અને ચર્ચ પ્રત્યે લોકોની આસ્થાને ગંભીર ઠેસ પહોંચી છે.

આપત્તિજનક આંકડા બહાર આવ્યા
ઇટાલિયન ચર્ચ દુર્વ્યવહાર વિરોધી સમૂહ Rete l’Abuso દ્વારા બહાર પાડાયેલા અહેવાલ અનુસાર, સંસ્થા પાસે અત્યાર સુધી 1,250 શંકાસ્પદ કેસોના દસ્તાવેજો છે, જેમાંથી 1,106 કેસ સીધા પાદરીઓ સાથે સંબંધિત છે.

અહેવાલ મુજબ:
– પીડિતોની કુલ સંખ્યા: 4,625
– પાદરીઓ દ્વારા શોષણના કેસ: 4,395
– અલ્પવયસ્ક (18 વર્ષથી નીચે) પીડિતો: 4,451
– પુરુષ પીડિતો: 4,108
– અન્ય પીડિતો: 5 નન, 156 પુરુષો અને 11 દિવ્યાંગ લોકો

સંસ્થાના સ્થાપક ફ્રાન્સેસ્કો ઝાનાર્ડીએ જણાવ્યું કે આ આંકડા વિવિધ પીડિતોના નિવેદનો, કાનૂની રેકોર્ડ્સ અને મીડિયા રિપોર્ટ્સ પરથી તૈયાર કરવામાં આવ્યા છે.

વેટિકન અને CEI પર પ્રશ્નો
વર્ષો સુધી ચાલતા પાદરીઓના શોષણના કિસ્સાઓ સામે હવે વેટિકન પર કાર્યવાહીમાં વિલંબ અને છુપાવવાના આરોપો ફરી એકવાર ઉઠ્યા છે. ઇટાલિયન બિશપ્સ કાઉન્સિલ (CEI)એ અહેવાલ પર કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. પરંતુ ગયા અઠવાડિયે વેટિકન ચાઇલ્ડ પ્રોટેક્શન કમિશનએ CEIની કટુ ટીકા કરી હતી કે તેઓ “સુરક્ષા પ્રથાઓને ગંભીરતાથી અમલમાં નથી લાવતા.” કમિશનના અહેવાલ મુજબ, ઇટાલીના 226 ધર્મપ્રાંતોમાંથી માત્ર 81 એ જ બાળકોની સુરક્ષા સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા, જે ચર્ચની પારદર્શિતા પર સવાલ ઊભો કરે છે.

પોપ લિયોની કડક ચેતવણી
નવા પોપ લિયોએ તાજેતરમાં જાતીય શોષણના પીડિતો સાથે મુલાકાત કરી હતી અને તમામ બિશપ્સને આદેશ આપ્યો હતો કે,“ચર્ચની પ્રતિષ્ઠા બચાવવા કોઈ ગુનાહિત કૃત્યને છુપાવવું ન જોઈએ.” પોપે જણાવ્યું કે ચર્ચ હવે આ પ્રકારના દુર્વ્યવહાર સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવશે.

આસ્થાની કસોટી
ઇટાલીમાં કેથોલિક ચર્ચ પર વિશ્વાસનો સંકટ ઊભો થયો છે. વર્ષો સુધી ચાલતા કૌભાંડો, ન્યાય માટે લડતા પીડિતો અને અસ્પષ્ટ જવાબદારીઓએ ચર્ચની છબી પર ભારે આંચકો કર્યો છે. આ તાજેતરનો અહેવાલ ચર્ચના તંત્ર માટે આત્મપરીક્ષણ અને સુધારાનો સંદેશ આપે છે.

ઇટાલીના કેથોલિક ચર્ચ સામે 4,400થી વધુ જાતીય શોષણના કેસોની સામે આવતાં વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. પીડિતોમાં નન, સગીરો અને દિવ્યાંગ લોકોનો સમાવેશ થતો હોવાથી મામલો વધુ ગંભીર બની ગયો છે. હવે આખી દુનિયા વેટિકનની આગામી કાર્યવાહી તરફ જોશ રાખી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…