અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના પરિવાર સામે આશરે રૂપિયા 6 કરોડના ઠગાઈના આરોપો સાથે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

શું છે આરોપ?
આ આરોપ તક્ષશીલા હાઇટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તથા તેના માલિકોએ મિલકત વેચાણના નામે લોકો પાસેથી રૂપિયા લીધા હોવા છતાં:
– કાયદેસર દસ્તાવેજો આપ્યા નથી,
– ઘણી મિલકતોમાં ડુપ્લીકેટ વેચાણ કરાયું છે,
– ખરીદદારને કબજો આપવામાં આવ્યો નથી,
– મિલકત પર બૅંક લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદમાં શું જણાવાયું?
ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટીએ જણાવ્યું કે તક્ષશીલા એલિગ્ના સ્કીમ (એલીસબ્રિજ, અમદાવાદ) અંતર્ગત 6 ફ્લેટો માટે રૂ. 3.84 કરોડ ચૂકવ્યા. દસ્તાવેજોમાં મોટા પાયે ગેરવહીવટ જોવા મળી. મળેલા દસ્તાવેજો નોટરાઈઝ કરેલા હતા, પણ રજીસ્ટર્ડ ન હતા. કેટલાક ફ્લેટો પહેલા જ અન્ય લોકોના નામે વેચાઈ ચૂક્યા હતા.

ખેડા જિલ્લાના પ્લોટ્સ બાબતે પણ આક્ષેપ
ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ છે કે નાયકા ગામ (તાલુકો: મહુધા, જીલ્લો: ખેડા) માં આવેલ સર્વે નંબર 390 થી 397 સુધીના પ્લોટ માટે પણ રૂપિયા 2.54 કરોડ ચુકવવામાં આવ્યા, પણ તેની સામે પણ ન તો કબજો મળ્યો અને ન તો યોગ્ય દસ્તાવેજો.

પુરાવા તરીકે શું રજૂ કરાયું?
ફરિયાદકર્તાએ નીચેના દસ્તાવેજો રજૂ કર્યા છે:
– બેંક ટ્રાન્ઝેક્શનની પહોંચ
– પાવર ઑફ એટોર્ની
– નોટરાઈઝ કરાર (T-73 થી T-78)
– પહેલાની રજીસ્ટર્ડ બાનાખતો

હવે આગળ શું?
આ સમગ્ર મામલાની તપાસ હવે EOW (Economic Offences Wing) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અનુમાન છે કે અન્ય અનેક લોકો પણ આ સ્કીમમાં રોકાણ કરીને અસરગ્રસ્ત થયા હોઈ શકે છે.

સલાહ
મહત્વનું છે કે મિલકત ખરીદતા પહેલાં લોકોએ નીચેની ચકાસણીઓ કરવી જરૂરી છે. કંપની અને બિલ્ડરનું ટ્રેક રેકોર્ડ તપાસો. મિલકતની કાયદેસર હકદારી અને રજિસ્ટ્રેશન ચકાસો. તમામ ચુકવણીઓ બેંક દ્વારા કરો અને રીસીપ્ટ સાચવો. વિલંબ વગર બાનાખત અને કબજાની પ્રક્રિયા પુરી કરો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…