આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ

છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સાથે જ નવા મંત્રીઓના નામને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ અનેક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઇ શકે છે આ સાથે જ અમુક રાજ્યકક્ષાના મંત્રીઓનું પ્રમોશન પણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

મંત્રીઓને ગાંધીનગર ન છોડવા સૂચના !
આજે રેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આચાર્યદેવવ્રતને નવા મંત્રીઓના નામ સોંપશે. આ સાથે જ જેમને રાજીનામાં આપવાના છે તેનું લિસ્ટ પણ સોંપશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પણ હાલ ગુજરાત પરત ફરશે. અમિત ઠાકર, દિનેશ કુશવાહા, અમૂલ ભટ્ટ પરત આવશે. પ્રવિણ માળી સહિતના ધારાસભ્યો પણ પરત આવશે. મંત્રીઓને બે દિવસ ગાંધીનગર ન છોડવા સૂચના આપવામાં આવી હોવાની વિગતો પણ મળી રહી છે.

આ નેતાઓને લાગી શકે છે લોટરી
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં અમિત ઠાકર, જયેશ રાદડિયા, જિતુ વાઘાણી, મહેશ કસવાલા, રિવાબા જાડેજા, કેયુર રોકડિયા અથવા બાલુ શુકલા, જયરામ ગામીત અને અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ ઉદય કાનગડ, સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડીયાને પણ સ્થાન મળી શકે છે. આ સાથે જ રાઘવજી પટેલ, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરીયા, જગદીશ પંચાલ, પરસોતમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિને પડતાં મુકાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ સમગ્ર ચર્ચાઓ તર્ક આધારિત ચર્ચાઓ છે. ફાઇનલ નામ જાહેર થયા બાદ જ ખબર પડી શકે છે.

વર્તમાન મંત્રીમંડળ

કેબિનેટ મંત્રી 
-ભૂપેન્દ્ર પટેલ- મુખ્યમંત્રી
-કનુભાઈ દેસાઇ
-ઋષિકેશ પટેલ
-રાઘવજી પટેલ
-બળવંતસિંહ રાજપૂત
-કુંવરજી બાવળિયા
-મુળુભાઈ બેરા
-કુબેર ડીંડોર
-ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષા મંત્રી
-હર્ષ સંઘવી
-જગદીશ વિશ્વકર્મા
-પરષોત્તમ સોલંકી
-બચુભાઈ ખાબડ
-મુકેશ પટેલ
-પ્રફુલ પાનશેરીયા
-ભીખુસિંહ પરમાર
-કુંવરજી હળપતિ

મુખ્ય દંડક –
-બાળકૃષ્ણ શુક્લ

નાયબ મુખ્ય દંડક
-વિજય પટેલ
-કૌશિક વેકરીયા
-જગદીશ મકવાણા
-રમણ સોલંકી

વિધાનસભા અધ્યક્ષ-
-શંકર ચૌધરી
ઉપાધ્યયક્ષ
– જેઠાભાઇ ભરવાડ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.