પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત

એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે.

સમગ્ર વિવાદ શું છે?
આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો.

પછી મીડિયા સાથે વાતચીતમાં, સૂર્યાએ જણાવ્યું હતું કે “રમતની ભાવના જેટલી મહત્વપૂર્ણ છે, એના ઉપર પણ કંઈક છે – દેશપ્રેમ. હું પેલગામ હુમલાના શહીદો સાથે છું અને આ જીત ભારતીય સેના માટે છે.” આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આઈસીસી સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સૂર્યકુમારનું વર્તન રમતની ભાવનાનો ભંગ કરે છે.

ICCનો નિર્ણય
આઈસીસી દ્વારા મામલાની સાંભળણી બાદ, સૂર્યકુમાર યાદવને ICC Code of Conductના લેવલ 1ના ભંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે મુજબ 30% મેચ ફીનો દંડ, એક અધિકૃત તાકીદ અને ભવિષ્યમાં આવું વર્તન ન કરવાની ચેતવણી તેમ છતાં, સૂર્યકુમાર યાદવ પર મેચ બેન લાગતો નથી, એટલે કે તેઓ 28 સપ્ટેમ્બરની ફાઈનલ માટે ઉપલબ્ધ રહેશે.

અપીલની પ્રક્રિયા ચાલુ
સૂર્યકુમાર યાદવે આ દંડ સામે અપીલ કરી છે, જેનો અર્થ છે કે મામલાની ફરીથી સમીક્ષા થશે. જો અપીલમાં દંડ રદ થાય, તો તેનો વ્યવહારિક અસરનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો અપીલ નિષ્ફળ જાય તો પણ, Level 1 ઉલ્લંઘન હોવાથી મેચમાં રમવા પર કોઈ પ્રતિબંધ લાગતો નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક મેચ માત્ર ક્રિકેટ મેચ નથી રહી, તે હવે રાષ્ટ્રીય ગૌરવ, રાજકીય સંબંધો અને સાહસિકતા સાથે જોડાઈ ગઈ છે. સૂર્યકુમાર યાદવનું નિવેદન ભલે કેટલાક માટે ઉગ્ર લાગ્યું હોય, પરંતુ મોટા ભાગના ભારતીય ચાહકો તેને દેશભક્તિની છાપ ગણાવી રહ્યાં છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *