પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 15 જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે.
પરિપત્રમાં મોકડ્રીલ દરમિયાન લેવાના પગલાંની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયતો અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામ્ય સ્તર સુધી આ કવાયતનું આયોજન કરવાનું આયોજન છે.’ આ કવાયતનો ઉદ્દેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ મશીનરીની તૈયારીનું મૂલ્યાંકન અને વધારો કરવાનો છે.
વર્ષ 1971 બાદ પ્રથમ વખત મોક ડ્રિલનું આયોજન
1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરાયું છે. ત્યારે મોક ડ્રિલના આયોજન અંગે કેન્દ્ર સરકાર સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કર્યું છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં મોકડ્રીલ
કેન્દ્ર સરકારના આદેશ મુજબ ગુજરાતના કુલ 19 સ્થળે મોકડ્રિલ યોજાશે. જેમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને નવસારીનો સમાવેશ થાય છે.
ગાંધીનગરમાં બેઠકો શરૂ
ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોકડ્રિલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી. જેમાં IPS મનોજ અગ્રવાલને મોકડ્રિલના ઈન્ચાર્જ બનાવાયા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






