ગુજરાતમાં ફરી IAS અધિકારીઓની મોટા પાયે બદલી, 18 અધિકારીઓની મહત્વપૂર્ણ વિભાગોમાં નિમણૂકો

રાજ્યમાં ફરી એકવાર મોટા પાયે અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 3 મેના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 18 IAS અધિકારીઓની બદલી જાહેર કરવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ 59 અધિકારીઓનું સ્થાનાંતરણ થયું હતું અને ત્યારપછી 21 ફેબ્રુઆરીએ બે અધિકારીઓ મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાનું સ્થળાંતર કરાયું હતું. હવે ફરીથી ઉચ્ચ સ્તરે કાર્યરત અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મહત્વપૂર્ણ બદલીઓ:
ડી.ડી. જાડેજા, જે અગાઉ ગીર સોમનાથના કલેક્ટર હતા, હવે તેઓ ગાંધીનગર સ્થિત સાયન્સ અને ટેકનોલોજી વિભાગના મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

એન.વી. ઉપાધ્યાય, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, હવે ગીર સોમનાથના નવા કલેક્ટર બનશે.

નીતિન વી. સાંગવાન, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી, હવે ગાંધીનગર રોજગાર અને તાલીમ નિયામક તરીકે કાર્યભાર સંભાળશે.

સી.સી. કોટક, મહેસાણાના SPIPAના નાયબ નિયામક, હવે અમદાવાદ SPIPAના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ નિભાવશે.

વી.આઈ. પટેલ, GPSCના સંયુક્ત સચિવ તરીકે કાર્યરત, હવે અધિક શહેરી વિકાસ કમિશનર અને ફાઇનાન્સ બોર્ડ તરીકે શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં સ્થાન લેશે.

 

રાજકીય પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી બદલી:
પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર સામે મનરેગા યોજનામાં થયેલી ફરિયાદમાં પ્રાથમિક ફરિયાદી રહેલા DRDA દાહોદના બીએમ પટેલની પણ બદલી કરવામાં આવી છે, જેને રાજકીય દબાણ સાથે પણ જોડવામાં આવી રહી છે.

1 ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્ય સરકારે એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરી હતી અને તેમાં 5 અધિકારીઓને વધારાના ચાર્જ આપ્યા હતા. તે બાદ 21 ફેબ્રુઆરીએ વધુ 2 અધિકારીઓનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું હતું. એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને ત્યારે પ્રમોશન પણ મળ્યું હતું.

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *