Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ

ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે.

આ ચૂંટણી મંગળવારે યોજાઈ, જેમાં મીરાબાઈને ખેલાડીઓ તરફથી સર્વાનુમતે સમર્થન મળ્યું, અને એ વિજય સાથે નવી ભૂમિકા માટેની શરૂઆત કરી.

મીરાબાઈ ચાનુએ શું કહ્યું?
પદ સંભાળ્યા બાદ મીરાબાઈએ કહ્યું,”આ મારી માટે ગર્વની ક્ષણ છે. ખેલાડીઓનો અવાજ ઊઠાવવો એ એક મોટી જવાબદારી છે અને હું એ પદ પર સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે કામ કરીશ.” તેણીએ વધુમાં ઉમેર્યું,”મારું લક્ષ્ય એ રહેશે કે તમામ વેઈટલિફ્ટરો બાહ્ય દબાણ વિના તેમના ખેલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેઓની સમસ્યાઓને યોગ્ય ફોરમ સુધી પહોંચાડવી મારી મહત્વની ભૂમિકા રહેશે.”

મીરાબાઈ ચાનુ જે રીતે રમતગમતના મેદાનમાં ભારતનું નામ રોશન કરી ચૂકી છે, તેવી જ અપેક્ષા છે કે હવે તેઓ ખેલાડીઓની કલ્યાણ માટેના સંઘર્ષમાં પણ આગેવાની કરશે. તેમની આ નિયુક્તિ ભારતીય વેઈટલિફ્ટિંગ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહી છે.

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *