અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. ત્યારે આજે ડોક્ટર આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સહિત ભાજપના શીર્ષ નેતાઓને ટેગ કર્યા છે.

જાણો શું કહ્યું ડૉ. કાનાબારે
ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે, કે દલિતોના રહેઠાણો ગામ કે શહેરની બહારના અલ્પવિકસિત વિસ્તારો પૂરતા સીમિત છે. જ્યાં સુધી બિનદલિતોની કોલોનીઓ અને સોસાયટીઓમાં દલિતોને કોઈ મકાન વેચાતું કે ભાડે આપતું નથી, ત્યાં સુધી ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને ગમે તેટલા ફુલહાર કરીએ તેમાં નર્યા દંભ અને બનાવટથી વિશેષ કશું જ નથી. આઝાદીના 78 વર્ષ પછીની આ કડવી વાસ્તવિકતા રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત હોવાનું ડોક્ટર કાનાબારે જણાવ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








