Godhra: રાજકીય મેદાન નહીં પણ ક્રિકેટ મેદાનમાં જોવા મળ્યા બે ધારાસભ્યો, આપ્યો આ સંદેશ

ગોધરામાં ખૂબ જ રોચક અને અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ધારાસભ્યોને રાજકારણના મેદાનમાં જોવા મળતા હોય છે, પણ અહીં ગોધરા અને મોરવા હડફના ધારાસભ્યોને ક્રિકેટના મેદાનમાં રમતાં જોવા મળ્યા.

આ ટૂર્નામેન્ટ ગોધરાના આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરો માટે રાખવામાં આવી હતી, જે સ્વાસ્થ્ય અને રમતગમત બંનેને ઉજાગર કરતી પહેલ છે. દેવ તલાવડી ખાતે આવેલી વિજય સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં, ધારાસભ્ય સીકે રાઉલજી અને નિમીષાબેન સુથારે પોતાની હાજરીથી ખેલાડીઓની હિંમત વધારી. આ સાથે બંનેએ ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો.

ક્રિકેટના મેદાનમાં હાથ અજમાવ્યા બાદ ધારાસભ્ય નિમીષા સુથારે ડોક્ટર મિત્રોને અંગદાનની ઝુંબેશને વેગ આપવા આગળ આવવા જણાવ્યું હતું

અહેવાલ:કેતન શાહ ગોધરા

  • Related Posts

    Chandra Grahan: આજે રાત્રે આકાશમાં દેખાશે ‘લગભગ બ્લડ મૂન’? જાણો ચંદ્રગ્રહણનો સમય અને દૃશ્યતા….

    અમદાવાદ : ખગોળપ્રેમીઓ માટે ઓગસ્ટ 2026નો અંત એક ખાસ આકાશીય ઘટનાની સાથે થઈ રહ્યો છે. 27 અને 28 ઓગસ્ટની રાત્રે ઊંડું આંશિક Chandra Grahan  થવાનું છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો લગભગ 96 ટકા ભાગ પૃથ્વીની ઘન છાયામાં પ્રવેશશે. જેના કારણે ચંદ્રનો મોટો ભાગ ઘેરો લાલ અથવા તાંબાના રંગ જેવો દેખાઈ શકે છે. આ કારણે તેને ‘લગભગ બ્લડ મૂન’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. જોકે, ભારત સહિત કેટલાક વિસ્તારો માટે એક મહત્વની વાત છે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી સીધું જોવા મળશે નહીં, કારણ કે ગ્રહણની મુખ્ય અવસ્થા દરમિયાન ભારતમાં દિવસનો સમય હશે અને ચંદ્ર ક્ષિતિજની નીચે રહેશે. એટલે ગુજરાત, અમદાવાદ સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં લોકો આ અદભૂત નજારો ખુલ્લી આંખે જોઈ શકશે નહીં. Chandra Grahanમાં ચંદ્ર લાલ…

    Nepalમાં પૂર બાદ 285 ભારતીયો ગુમ, 54 લોકોને બચાવી લેવામાં આવ્યા, કેન્દ્રનો દાવો

    Nepalમાં વિનાશક પૂર અને અચાનક આવેલા ફ્લેશ ફ્લડ બાદ ભારતીય નાગરિકોને લઈને ચિંતા વધી છે. વિદેશ મંત્રાલયના તાજા અપડેટ મુજબ 285 ભારતીય નાગરિકો હજુ સંપર્કમાં નથી, જ્યારે અત્યાર સુધીમાં 54 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ જતાં બચાવ કામગીરીમાં પડકારો ઊભા થયા છે. નેપાળ પૂર બાદ 285 ભારતીયો સંપર્કવિહોણા Nepalના રાસુવા જિલ્લામાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આફતની અસર ભારતીય નાગરિકો પર પણ પડી છે. ભારતના વિદેશ મંત્રાલયે 27 ઓગસ્ટ 2026ના તાજા અપડેટમાં જણાવ્યું છે કે 285 ભારતીય નાગરિકો હાલ સંપર્કમાં નથી, જ્યારે 54 ભારતીયોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા નેપાળના સત્તાધિકારીઓ સાથે સતત સંપર્ક કરીને અસરગ્રસ્ત ભારતીયોને શોધવાની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *