35,000 km ની સાયકલ યાત્રાએ નીકળેલ અવિનાશનું સુરેન્દ્રનગરમાં બ્રહ્મ સમાજે કર્યું વિશેષ સન્માન

સનાતન ધર્મના જ્વલંત પ્રણેતા બની એક સાહસિક યાત્રાળુ, બિહારના પુનિયા જિલ્લાના અવિનાશ જાએ 35,000 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા શરૂ કરી છે. આ યાત્રાનો ઉદ્દેશ માત્ર યાત્રા નથી, પણ તે છે આસ્થા, સંસ્કાર અને ભારતીય પરંપરાની દીક્ષા જગાવવાનો છે. તે સાયકલ પર સુરેન્દ્રનગર આવી પહોંચતા બ્રહ્મ સમાજની વાડી ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.

અવિનાશજાએ બાર જ્યોતિર્લિંગ, ચારધામ અને 44 શક્તિપીઠની પવિત્ર યાત્રા માટે સાયકલ પર પંથ શરૂ કર્યો છે. અત્યાર સુધી તેઓ 11,000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી ચૂકી છે અને હાલમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના બ્રહ્મ સમાજની વાડીમાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર પહોંચતા અવિનાશજાનું બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત સનાતન સમાજ દ્વારા આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું.

અવિનાશજાની યાત્રા આગળ પણ યથાવત્ ચાલુ રહેશે અને ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર સ્થાનોની મુલાકાત લેતા દેશભરના લાખો લોકો સુધી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો સંદેશ લઇ જશે.

રિપોર્ટર-અવધેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Nepalમાં પૂર બાદ 285 ભારતીયો ગુમ, 54 લોકોને બચાવી લેવામાં આવ્યા, કેન્દ્રનો દાવો

Nepalમાં વિનાશક પૂર અને અચાનક આવેલા ફ્લેશ ફ્લડ બાદ ભારતીય નાગરિકોને લઈને ચિંતા વધી છે. વિદેશ મંત્રાલયના તાજા અપડેટ મુજબ 285 ભારતીય નાગરિકો હજુ સંપર્કમાં નથી, જ્યારે અત્યાર સુધીમાં 54 ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ જતાં બચાવ કામગીરીમાં પડકારો ઊભા થયા છે. નેપાળ પૂર બાદ 285 ભારતીયો સંપર્કવિહોણા Nepalના રાસુવા જિલ્લામાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે. આ કુદરતી આફતની અસર ભારતીય નાગરિકો પર પણ પડી છે. ભારતના વિદેશ મંત્રાલયે 27 ઓગસ્ટ 2026ના તાજા અપડેટમાં જણાવ્યું છે કે 285 ભારતીય નાગરિકો હાલ સંપર્કમાં નથી, જ્યારે 54 ભારતીયોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા નેપાળના સત્તાધિકારીઓ સાથે સતત સંપર્ક કરીને અસરગ્રસ્ત ભારતીયોને શોધવાની…

Ahmedabad ડ્રગ્સ કેસ: નરોડા પોલીસે ₹1.17 કરોડનું કોકેઈન ઝડપ્યું, Massive Drug Bust

Ahmedabad ડ્રગ્સ કેસ: નરોડા પોલીસે ₹1.17 કરોડનું કોકેઈન ઝડપ્યું, રાજસ્થાનથી અમદાવાદ આવેલા આરોપીની ધરપકડ Ahmedabad: ગુજરાતમાં ડ્રગ્સના વધતા નેટવર્ક સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે Ahmedabad શહેરમાંથી ફરી એકવાર ચોંકાવનારો ડ્રગ્સ કેસ સામે આવ્યો છે. નરોડા પોલીસે કાર્યવાહી કરીને 234 ગ્રામ કોકેઈન સાથે હરેશ સૈન નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા કોકેઈનની અંદાજિત કિંમત ₹1.17 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. નરોડા GIDC નજીકથી આ ડ્રગ્સ ઝડપાયા બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. -> નરોડા GIDC નજીકથી કોકેઈન ઝડપાયું : મળતી માહિતી મુજબ નરોડા પોલીસને ડ્રગ્સની હેરાફેરી અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે નરોડા GIDC નજીક શંકાસ્પદ હિલચાલ ધરાવતા એક વ્યક્તિ પર નજર રાખી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *