BJPના જ નેતાએ બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

દેશભરમાં ગુનેગારો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ગુનેગાર સામે હવે બુલડોઝર એક્શન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન હવે બુલડોઝર જસ્ટિસ સામે અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી કહ્યું કે, બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ !

ટ્વિટ કરતાં ડૉ. કાનાબારે વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કહ્યું કે, અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ !! ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચુવે તો જેમની ઊંઘ હરામ થઇ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી શકીએ છીએ.

ડૉ. કાનાબારે વધુમાં કહ્યું કે, પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ. પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય ? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમાનુસાર પુરી પ્રોસિજર કરવી ના જોઈએ ?

કાનાબાર ઘણીવાર સરકારને બતાવી ચૂક્યા છે અરિસો
આ કોઈ પહેલી ઘટના નથી કે ડૉ. કાનાબારે જરૂરી મુદ્દો ઉઠાવ્યો હોય. BJP નેતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને વડાપ્રધાન સુધી પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. આ સાથે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બૂકમાં પણ નામ ધરાવે છે.

Follow us On Social MediaYouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ : પત્ની સહિત 9 આરોપીઓ દોષિત, જાણો સમગ્ર મામલો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત…

ભાજપના ‘વ્યૂહરચનાકાર’ની વિદાય: જ્યોર્જ કુરિયનના રાજીનામા પાછળનું અસલી કારણ શું?

ભાજપના રાજકારણમાં મોટો વળાંક: વરિષ્ઠ નેતા જ્યોર્જ કુરિયનનું કેન્દ્રીય મંત્રીપદેથી રાજીનામું, સંગઠનમાં ગરમાવો નવી દિલ્હી: ભારતીય રાજનીતિમાં આજે એક મોટી ઘટના સામે આવી છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *