દેશભરમાં ગુનેગારો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ગુનેગાર સામે હવે બુલડોઝર એક્શન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન હવે બુલડોઝર જસ્ટિસ સામે અમરેલી જિલ્લાના ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી કહ્યું કે, બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ !
ટ્વિટ કરતાં ડૉ. કાનાબારે વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને કહ્યું કે, અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ !! ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમથું પાણી ચુવે તો જેમની ઊંઘ હરામ થઇ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી શકીએ છીએ.

ડૉ. કાનાબારે વધુમાં કહ્યું કે, પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ. પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય ? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઉભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમાનુસાર પુરી પ્રોસિજર કરવી ના જોઈએ ?
કાનાબાર ઘણીવાર સરકારને બતાવી ચૂક્યા છે અરિસો
આ કોઈ પહેલી ઘટના નથી કે ડૉ. કાનાબારે જરૂરી મુદ્દો ઉઠાવ્યો હોય. BJP નેતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને વડાપ્રધાન સુધી પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે. આ સાથે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બૂકમાં પણ નામ ધરાવે છે.
Follow us On Social MediaYouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







