Gandhinagar : ગાંધીનગરમાં લાંચિયા અધિકારી સકંજામાં, RTO કચેરીમાં ACBએ છટકું ગોઠવી ઝડપ્યા અધિકારી

ગાંધીનગરમાં લાંચિયા અધિકારી ફરી ACBનાં સકંજામાં આવી ગયા છે. ACBએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા છે. ACBને અનેક વખત ફરિયાદો મળી હતી હતી ગાંધીનગરની RTO કચેરીમાં વાહનના લાઈસન્સ માટે તેમજ લાઈસન્સ રીન્યુ કરાવવા જેવા કામોમાં લાંચ લેવામાં આવે છે.RTO અધિકારીઓ અરજદાર પાસેથી તેમના કામ પતાવવા રૂપિયાની માંગણી કરે છે. જો અરજદાર તેમના માંગ્યા મુજબ પૈસા આપે તો જ તેમનું કામ થાય છે.

આ પણ વાચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો

ACBને ગાંધીનગરની RTO કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની મળેલ અનેક ફરિયાદ બાદ છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોની ફરિયાદ છે કે, અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે તેમની પાસેથી રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની માંગણી કરવામાં આવે છે. અને એટલે જ આજે ACB અરજદારોની ફરિયાદને પગલે લાંચિયા અધિકારીઓની હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો.

ACBએ લાંચિયા અધિકારીને પકડવા છટકાનું આયોજન હાથ ધર્યું હતું. તેમણે RTO કચેરીમાં પોતાના માણસ મોકલ્યો હતો. કે જેને કોમર્સિયલ વાહન માટે ટેક્સ ભરવાનો હતો. RTO કચેરી ખાતે ACBના ડિકોય ઓનલાઈન કામગીરી માટે જ્યારે અધિકારી (અધિકારી નંબર-1) પાસે ગયો ત્યારે આ અધિકારીએ બીજા અધિકારીને મળવા કહ્યું. જેના બાદ એસીબીનો માણસ બીજા અધિકારીને મળ્યો. તો આ અધિકારીએ કરેક્શન ફોર્મમાં સહી કરી તેને ફરી પહેલા અધિકારી (અધિકારી નં.1) પાસે મોકલ્યો. જેના બાદ પહેલા અધિકારી (અધિકારી નં.1)એ પણ કરેકશન ફોર્મમાં સહી કરી હતી.

આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

મળતી માહિતી મુજબ, બંને અધિકારીએ આ કામગીરી માટે અરજદાર પાસેથી 1000 રૂપિયાની માંગણી કરી હતી. બંને અધિકારીઓની માંગણી સ્વકારી અરજદારે તેમને 1000 રૂપિયા આપતો હતો ત્યારે એસીબીએ રેડ પાડી બંને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા હતા. ACBએ ગાંધીનગરની RTO કચેરી ખાતે સ્થળ પર જ લાંચિયા અધિકારીને ઝડપ્યા હતા.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Nadiad Accident News 2026: એક્ટિવા સ્લીપ થતાં નહેરમાં તણાયા પતિ-પત્ની..

ખેડા-Nadiad બ્રેકિંગ: Nadiad નજીક મોટી નહેરમાં ગર્ભવતી મહિલા અને પતિ એક્ટિવા સાથે ખાબક્યા સુરાશામળ ગરનાળા પાસે અકસ્માતથી ચકચાર; હોસ્પિટલથી પરત ફરી રહેલા દંપતી સાથે બની દુર્ઘટના, સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી રીપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા ખેડા જિલ્લાના Nadiad નજીકથી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરાશામળ ગરનાળા નજીક એક દંપતી એક્ટિવા સાથે મોટી નહેરમાં ખાબકતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સમયે એક્ટિવા પર પતિ-પત્ની બંને સવાર હતા અને મહિલા ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તેમજ તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દંપતીને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. Nadiad Accident News:મળતી માહિતી મુજબ, Nadiad નજીક આવેલા ચલાલી ગામના શક્તિનગર મોટા મંદિર…

Jamnagarમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું: ₹30 લાખના ખર્ચે તૈયાર થયેલી ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’થી વિદ્યાર્થીઓને મળશે અભ્યાસની સુવિધા Monumental Milestone

Jamnagarમાં રિવાબા જાડેજાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું: ₹30 લાખના ખર્ચે તૈયાર થયેલી ‘વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરી’થી વિદ્યાર્થીઓને મળશે અભ્યાસની સુવિધા Jamnagarમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધામાં વધુ એક મહત્વનો ઉમેરો થયો છે. શહેરમાં વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. Jamnagarના ધારાસભ્ય રિવાબા જાડેજાના હસ્તે લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે ₹30 લાખના ખર્ચે નિર્માણ પામેલી આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઉપયોગી બનશે. લાઇબ્રેરી શરૂ થવાથી વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેઓને ઘરે અભ્યાસ માટે પૂરતી જગ્યા કે અનુકૂળ વાતાવરણ મળતું નથી, તેમના માટે આ પ્રકારની જાહેર લાઇબ્રેરી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. -> ₹30 લાખના ખર્ચે લાઇબ્રેરીનું નિર્માણ : વીર મહારાણા પ્રતાપ લાઇબ્રેરીના નિર્માણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *