રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં રાત્રે 1.11થી 1.28 સુધીમાં 5 ભૂકંપના આંચકા અનુભવાયા.
ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે મોડી રાતથી અત્યાર સુધીમાં કુલ 6 ભૂકંપના આંચકા અનુભવાયા છે. બીજી તરફ રાત્રિના સમયે આવેલ આંચકાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર આવી ગયા હતા. બીજી તરફ રાહતની વાતએ છે કે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
પોરબંદરમાં અનુભવાયા 6 આંચકા
ISRના ડેટા મુજબ જો ભૂકંપની તીવ્રતાની વાત કરવામાં આવે તો તાલાલામાં આજે સવારે 10.51 કલાકે આવેલ ભૂકંપની તીવ્રતા 3.1 હતી. આ સાથે જ પોરબંદરમાં આજે ભૂકંપનો પહેલો આંચકો 1.11 કલાકે 1.9ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ બીજો આંચકો 1.16 કલાકે 1. 7ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ ત્રીજો આંચકો 1.19 કલાકે 1.5ની તીવ્રતાનો હતો. ત્યાર બાદ ચોથો આંચકો 1.20 કલાકે 2.3ની તીવ્રતાનો નોંધાયો હતો. અને ભૂકંપનો પાંચમો આંચકો રાત્રે 1.28 કલાકે 1.6ની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પર માપવામાં આવ્યો હતો.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






