સુરેન્દ્રનગર : ચલાલાના અમરધામ ખાતે શિવ કથાનું ઉમંગભેર સમાપન થયું

B INDIA : ચલાલા અમરધામ ખાતે શિવ કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા ખાતે 31 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ હરિસંગસાહેબની 12મી નિર્વાણતિથિ નિમિત્તે ભવ્ય શિવ કથા, સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.ચુડા તાલુકાના ચલાલા ગામે અમરધામ આશ્રમ ખાતે બ્રાહ્મણ સદ્ગુરુ હરિસંગ સાહેબના 12મા નિર્વાણતિથિ નિમિત્તે પરમ પૂજ્ય ભક્તભૂષણ મહંતશ્રી જનકસિંહ સાહેબની ઉપસ્થિતિમાં વિશ્વ પ્રસિદ્ધ શિવ કથાકાર મુકેશ ગીરીબાપુએ ભવ્ય પ્રવચન કર્યું હતું.

 

 

–>શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું:-

 

 

જેમાં વિશ્વવિખ્યાત સંતવાણી ઉપાસકો દ્વારા રાત્રે ભવ્ય સંતવાણી અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તિ ભજન અને ભોજન ત્રિવેણી સંગમની ધારાઓ વહેતી થઈ હતી. જેમાં અંદાજે દોઢ લાખથી વધુ ભાવિક ભક્તોએ દર્શન અને શ્રવણ અને અન્નકૂટનો લાભ લીધો હતો. 9 દિવસ અવિરત સેવા આપનાર ભૂદેવ પ્રતિકભાઈ મહેતા અને નીલભાઈ એ દિવસ-રાત વધુ જોયા વગર તેમની અદ્ભુત સેવા કરી.સમસ્ત ચલાલા ગામના યુવાનો, બાળકો, વડીલો અને બહેનોએ ખૂબ જ ભક્તિભાવથી શિવ કથાનું શ્રવણ કર્યું હતું અને આ સેવામાં સેવા આપી હતી. તે બદલ પરમ પૂજ્ય ભક્તભૂષણ જનકસિંહ સાહેબ બાપુએ કથાના અંતે તમામ ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.

  • Related Posts

    પંચાંગ /19 માર્ચ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

    પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *