સુરતનાં કઠોદરા ગામમાં દીપડાનો આતંક, 112 વર્ષના વૃદ્ધા પર કર્યો હુમલો

સુરતમાં કઠોડરા ગામની એક વાડીમાં મધરાત્રે દીપડાએ નિદ્રાવાન 112 વર્ષના વૃદ્ધા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાના પૌત્ર એ જણાવ્યું હતું કે, 5 દિવસ પહેલા જ દીપડી પાંજરે પુરાઈ હતી. બા સુતેલા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. હાલ બાની તબિયત ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.મળતી માહિતી મુજબ, લક્ષમણભાઈ દેવીપૂજક (પૌત્ર) એ જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના વતની છે અને 7 વર્ષથી વાડી રાખી ફળના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

ઘટના કામરેજના કઠોડરા ગામની છે. સુનિલભાઈ પટેલની ચીકુ વાડીમાં શનિવારની રાત્રે બા દિકરા વહુ સાથે રાત્રીનું ભોજન કરી સુઈ ગયા હતા. ત્યારબાદ મધરાત્રીના લગભગ 2 વાગ્યાના અરસામાં એક દીપડાએ વાડીમાં ઘુસી નિદ્રાવાન શ્યામબેન ભગવાન ભાઈ દેવીપૂજક (ઉ.વ.112) પર હુમલો કરતા બા બચાવો-બચાવોની બુમો સાંભળી દીકરા-વહુ સાથે કેટલાક મજૂરો દોડી ગયા હતા. વધુમાં કહ્યું હતું કે, બા જમીન ઉપર લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈ બધા જ ગભરાઈ ગયા હતા. તો શ્યામબેન ભગવણભાઈ દેવીપૂજક (ઉ.વ.112) એ કહ્યું દીપડાએ હુમલો કર્યો છે એટલે એમને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, દીપડીએ આજુબાજુના ખેતરમાં બચ્ચાને જન્મ આપ્યો હતો જેને લઈ દીપડી ખેતરમાં ખુલ્લી ફરતી જોઈ લોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગત મંગળવારના રોજ વન વિભાગે પાંજરું મૂકી દીપડીને પાંજરે પુરવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ લોકોએ રાહતના શ્વાન લીધા હતા.જોકે મધરાત્રે એક વૃદ્ધા પર દીપડાના હુમલાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો છે. 7 વર્ષમાં પહેલી વાર દીપડાના હુમલામાં તેમના પરિવારનું સભ્ય ઈજાગ્રસ્ત થયુ છે.બાની તબિયત હાલ ગંભીર છે.

Related Posts

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી…

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *