સુનીલ ગાવસ્કર વિરુદ્ધ ગયો રોહિત શર્મા, BCCIને કરી ફરિયાદ, ભારતીય ક્રિકેટમાં મચાવ્યો હંગામો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ BCCIએ ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, ત્યારે હવે કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની ફરિયાદ BCCIને કરી છે. વાસ્તવમાં, રોહિતે BCCIને ગાવસ્કરની ફરિયાદ કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ગાવસ્કરના નિવેદનથી રોહિત દુખી છે. રોહિતનું માનવું છે કે, ગાવસ્કરે ભારતીય ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી છે, જેના કારણે તેના ફોર્મ પર અસર પડી છે.

રોહિતે તેની ફરિયાદમાં કહ્યું છે કે “બાહ્ય દબાણને કારણે તેના પ્રદર્શનને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, BGT 2024-25 (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) દરમિયાન શર્માએ પોતાની ત્રણ ટેસ્ટ મેચમાં 6.00ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા હતા, જેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઘણી ટીકા થઈ હતી. ગાવસ્કરે રોહિતના સ્થાન પર સવાલ ઉઠાવ્યા હતા.

-> રોહિત રણજી ટ્રોફીમાં ફ્લોપ રહ્યો હતો :- રોહિત પણ રણજી ટ્રોફીમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં રોહિતે પ્રથમ દાવમાં 19 બોલમાં 3 રન અને બીજા દાવમાં 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે. ભારતીય ટીમ વનડે શ્રેણીમાં ત્રણ વનડે મેચ રમશે તો બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. રોહિત માટે ચેમ્પિયન્સ ટ્રોફી ઘણી મહત્વની બની રહી છે. આપને જણાવી દઈએ કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *