સરકાર રાજકીય કારણોસર વાયનાડના પીડિતોને યોગ્ય સહાયથી વંચિત રાખી રહી છેઃ પ્રિયંકા ગાંધી

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, આ વખતે સત્ર અત્યાર સુધી ખૂબ જ ઘોંઘાટભર્યું રહ્યું છે. સંસદની કાર્યવાહી આજે ફરી શરૂ થઈ. સત્રની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. પ્રિયંકા ગાંધીએ તેમના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં માણસો અને પ્રાણીઓ વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ લોકસભામાં પૂછ્યું કે એક વર્ષમાં 90થી વધુ લોકો પ્રાણીઓના હુમલાથી પ્રભાવિત થયા છે. ગઈકાલે જ કોઈ પર જંગલી પ્રાણીઓ, એક જંગલી હાથી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેથી હું એ પણ પૂછવા માંગુ છું કે આ સંઘર્ષથી પ્રભાવિત ખેડૂતો અને સામાન્ય લોકો માટે વળતરની શું વ્યવસ્થા છે.

પ્રિયંકાના સવાલનો શું હતો જવાબ? :- પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે હું પોતે વાયનાડ પ્રદેશના ત્રણ તાલુકા વિસ્તારોમાં ગયા હતા, અમે એક આખી ટીમ બનાવી હતી. વહીવટીતંત્ર અને વન વિભાગ સાથે મળીને કામગીરી કરવામાં આવી હતી. આ જે વિસ્તાર છે તે કેરલ, તમિલનાડુ અને કર્ણાટકનો મોટો એરિયા છે, સંયુક્ત ક્ષેત્ર અંતર્ગત આ વિસ્તાર આવે છે..અમારી સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યા છે, તેની કોપી હું પ્રોવાઇડ કરીશ

વાયનાડ માટે રાહત પેકેજની માંગ :- અગાઉ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેરળના અન્ય કેટલાક સાંસદોએ શનિવારે સંસદ સંકુલમાં વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનાના પીડિતો માટે રાહત પેકેજની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. પ્રિયંકા ગાંધી અને અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનના ‘મકર ગેટ’ પાસે એકઠા થયા અને ‘વાયનાડ સામે ભેદભાવ બંધ કરો’ના નારા લગાવ્યા. વાયનાડના લોકસભા સભ્ય પ્રિયંકા ગાંધીએ પત્રકારોને કહ્યું હતું કે, “સરકાર વાયનાડને વિશેષ પેકેજ આપવાનો ઇનકાર કરી રહી છે. અમે ગૃહ પ્રધાનને વિનંતી કરી છે અને વડા પ્રધાનને પત્ર લખ્યો છે. એ જ રીતે, હિમાચલ પ્રદેશમાં મોટાપાયે વિનાશ થયો છે અને તેઓ પણ કેન્દ્ર પાસેથી મદદ માંગી રહ્યા છે.

તેમણે આરોપ લગાવ્યો કે આ બંને કેસમાં કેન્દ્ર સરકાર રાજકીય કારણોસર પીડિતોને યોગ્ય સહાયથી વંચિત રાખી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, “ભારતના નાગરિકો તરીકે, દરેક વ્યક્તિ સમાન વ્યવહારને પાત્ર છે અને કુદરતી આફતો અંગે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.

Related Posts

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ… Severe Commuter Frustration 2026

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ, બસ સ્ટેન્ડ રોડ પર શટલ રિક્ષાઓનો અડિંગો; તંત્રની કામગીરી સામે સવાલો Halvad: મોરબી જિલ્લાના Halvad શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને સરા નાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ બસ સ્ટેન્ડ રોડ પર હાઇસ્કૂલ નજીક ધાંગધ્રા તરફ જતી શટલ રિક્ષાઓ રોડ પર જ ઉભી રાખવામાં આવતી હોવાના કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે Halvad શહેરમાં ટ્રાફિક જવાનોની હાજરી હોવા છતાં રોડ ઉપર બેફામ પાર્કિંગ અને નિયમોના ભંગ સામે અપેક્ષા મુજબની અસરકારક કાર્યવાહી થતી નથી.…

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન… Divine Spiritual Convergence 2026

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન: ભક્તિમય બન્યું સમગ્ર કેમ્પસ, નર્મદા આરતીની ઓરકેસ્ટ્રા ટીમે સંગીતના સૂર રેલાવ્યા Nursing : એકતાનગર (કેવડિયા), નર્મદા, 16 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની એટલે કે એકતાનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજના કેમ્પસમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે યોજાયેલા આ સુંદરકાંડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *