લીંબુના ભાવમાં અધધ…વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બદલાતા હવામાન સાથે શાકભાજીના ભાવમાં ધરખમ બદલાવ થઈ રહ્યો છે. ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માગ વધારે હોય છે. ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ 100 રૂ કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા 60 રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ 160 એ પંહોચ્યા છે. જથ્થાબંધ માર્કેટમાં લીંબુનું 160 રુપિયામાં વેચાણ થાય છે જ્યારે છૂટક બજારમાં 200 રૂ કિલોએ વેચાય છે. આમ, એક જ સપ્તાહની અંદર લીંબુમાં સીધો 60 રૂપિયાનો વધારો થતા ગૃહિણીઓનું મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો :- સુજી ઢોકળા રેસીપી: સોજી ઢોકળા એક હળવો અને સ્વાદિષ્ટ નાસ્તો છે, તે બનાવવામાં પણ સરળ છે, તેને કેવી રીતે બનાવવું તે શીખો

ગૃહિણીઓની ફરિયાદ છે કે છેલ્લા ઘણા સમયથી અમે જોઈએ છીએ કે દરેક સિઝનમાં જે વસ્તુની માગ હોય છે તેમાં અચાનક તોતિંગ ભાવ વધારો થઈ જાય છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત થાય અને લીંબુના ભાવ રાતોરાત આસમાને પંહોચી જાય છે. અને એટલે જ જ્યાં જરૂર પૂરતા જ લીંબુ લઈએ છીએ.લીંબુના ભાવ વધારાને લઈને વેપારીઓ કોઈ જુદો જ રાગ આલાપી રહ્યા છે.

વેપારીઓનું કહેવું છે કે, બજારમાં લીંબુની માગ વધતા તેના ભાવમાં વધારો થયો છે. લીંબુના ભાવ વધતા અમારા વેપારમાં પણ અસર થાય છે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાં માગમાં વધારો થતા સંભવત લીંબુના ભાવના તાપમાનનો પારો 200 રૂપિયાથી વધુ વધી શકે છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે.

આ પણ વાંચો :- શરદી, ખાંસી અને તાવથી લઈને શ્વાસ લેવામાં તકલીફ સુધી, બદલાતા હવામાનમાં આયુર્વેદ સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે

ગરમીના પ્રકોપને લઈને નિષ્ણાત તબીબો લીંબુ પાણી પીવાનું સૂચન કરતા હોય છે. પરંતુ લીંબુના ભાવમાં અધધ…વધારો થતા ગૃહિણીઓ પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અન્ય વિકલ્પો પર વિચાર કરશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *