લંડનમાં એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મામલો, બ્રિટનની સંસદમાં પડ્યા ઉગ્ર પડઘા

લંડનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજ્યો હતો. બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેને ‘ખાલિસ્તાની ગુંડાઓ’ દ્વારા હુમલો ગણાવ્યો. બ્લેકમેને બ્રિટિશ સંસદમાં આ ઘટનાને “લોકશાહીનું અપમાન” ગણાવી. તેમણે ગૃહ સચિવ યવેટ કૂપર પાસેથી આ બાબતે નિવેદન લેવાની માંગ કરી.

બ્લેકમેને કહ્યું, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પર ત્યારે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે તેઓ જાહેર સ્થળે ભારતીય લોકોને સંબોધન કર્યા પછી જઈ રહ્યા હતા.’ તેમની કારને ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ રોકી હતી આ જીનીવા સંમેલનની વિરુદ્ધ છે. એવું લાગે છે કે પોલીસ અને સુરક્ષા દળો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે. આપણે ખાતરી કરવી જોઈએ કે આવું ફરી ન બને.

આ પણ વાંચો :- લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ

આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે: બ્રિટિશ સરકાર :- વિપક્ષી સાંસદના જવાબમાં, હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે સરકાર વતી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘લંડનમાં ભારતના વિદેશમંત્રી સાથે જે કંઇ થયું તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે આપણા દેશમાં આવતા નેતાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ઇચ્છતા નથી. યુકે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા પણ તેની નિંદા કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે: “જાહેર કાર્યક્રમોને ડરાવવા, ધમકાવવા અથવા વિક્ષેપિત કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

વિદેશ મંત્રાલયે બ્રિટિશ રાજદૂતને બોલાવ્યા :- ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ એસ જયશંકર સાથે મળીને લંડનમાં બનેલી ઘટનાની નિંદા કરી. વિદેશ મંત્રાલયે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો અને બ્રિટિશ સરકારને તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરવા અપીલ પણ કરી.

આ પણ વાંચો :- ટ્રમ્પના તાબડતોબ નિર્ણયો પર બોલ્યા જયશંકર ‘આમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી’

લંડનમાં એસ જયશંકર સાથે શું થયું હતું ? :- જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર ચેથમ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ખાલિસ્તાન સમર્થકો ગૃહની બહાર હાજર હતા અને તેમણે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન એક વ્યક્તિએ એસ જયશંકરની કારને રોકવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *