રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

અમદાવાદના નરોડામાંથી નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે. જેમાં નરોડામાં નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ ચલાવતો હતો. મળતી માહિતી મુજબ, નકલી ડોક્ટર દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જેમાં ICU અને ટ્રોમસેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા હોસ્પિટલના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

ડિગ્રી વગરનો ડોક્ટર અને રજિસ્ટ્રેશન વગર ચાલતી સમગ્ર હોસ્પિટલનું તંત્ર ચાલતું હતું. જેમાં દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવી મેડિક્લેમ પકવતો હતો. આ ઘટનામાં વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ આદરી હતી. જેમાં ખોટા સિક્કા, ખોટા પેપર્સ , ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કર્યા હતા. જેમાં ખોટા બિલો , દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકવતી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

ત્યારે આ કિસ્સામાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં છાશવારે નકલી ચીજ વસ્તુઓ પકડાતી રહે છે. જેમાં હળદરથી લઇને નકલી સોડા સહિત ઘણી વસ્તુઓ ભૂતકાળમાં ઝડપાઇ છે. આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલા નકલી કોર્ટનું પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ બાદ તાજેતરમાં નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

    મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

    ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

    ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *