રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને ચોટીલા-રાજકોટ હાઈવે પર નડ્યો અકસ્માત

B INSIA ગાંધીનગર : રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો છે. તેઓ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે વખતે ચોટીલા રાજકોટ હાઈવે પર કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલની કારને ટ્રકે ટક્કર મારતાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. આ અકસ્માતમાં રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસે આ અંગેનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સારી વાત એ છે કે, રાઘવજી પટેલનો ચમત્કારિક બચાવ થયો હતો. સામાન્ય ટક્કર હોવાથી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પોતાની કાર સાથે આગળ જામનગર તરફ જવા રાત્રે જ રવાના થઈ ગયા હતા. તો બીજી બાજુ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

-> અગાઉ સર્જાયો હતો અકસ્માત :- બે દિવસ પહેલા પણ ઉના હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર…

CM ભૂપેન્દ્ર પટેલે ઇંધણ પુરવઠાની કરી સમીક્ષા, અફવાઓથી દૂર રહેવા અપીલ

ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં ઇંધણની ઉપલબ્ધતા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ જિલ્લાનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *