ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર કરનાર બીજું રાજ્ય બની ગયું છે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “ગુજરાત માટે સુવર્ણ અક્ષર”
બિલ પરના અંતિમ પ્રતિસાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગૃહને સંબોધતાં કહ્યું, “આ કાયદા દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સમાન ન્યાય મળશે. આ બિલ કોઈ ધર્મ કે સંપ્રદાયના વિરોધમાં નથી, પરંતુ બંધારણીય સમાનતા સ્થાપિત કરવા માટેનું ક્રાંતિકારી પગલું છે.”

7.30 કલાકની ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા
બપોરે ૩ વાગ્યે શરૂ થયેલી ચર્ચા રાત્રે મોડે સુધી ચાલી, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ભાગ લીધો. આ દરમિયાન લગ્ન, છૂટાછેડા, વારસા હક અને લિવ-ઈન રિલેશનશિપ જેવા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ. મુખ્યમંત્રીના પ્રત્યુત્તર બાદ બિલને ગૃહમાં મંજૂરી આપવામાં આવી અને હવે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે.

આ ઐતિહાસિક પગલાથી ગુજરાતમાં સામાજિક સમાનતાના નવા યુગનો પ્રારંભ થશે, અને રાજ્યના નાગરિકોને કાયદાકીય રીતે સમાન અધિકારની સુરક્ષા મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં બઢતી, કેન્દ્ર સરકારે નિમણૂકને આપી મંજૂરી

    ગુજરાત રાજ્યની વહીવટી સેવાના 17 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી આપવાના મહત્વપૂર્ણ નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત આ અધિકારીઓની IAS કેડરમાં નિમણૂક કરવામાં…

    અયોધ્યાના રામ મંદિર દાન કૌભાંડ મામલે 8 લોકો સામે FIR, SIT તપાસ બાદ કાર્યવાહી

    અયોધ્યામાં આવેલા રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિ અને કૌભાંડના મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કેસમાં આઠ લોકો સામે FIR નોંધવામાં આવી…