રશિયા 2025માં ભારતને વિઝા ફ્રી એન્ટ્રીની ગીફ્ટ આપી શકે છે, ભારત સાથે વધુ ગાઢ થતી મિત્રતાની અસર

ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતા વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે. હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે.

વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વિના રશિયા જઈ શકશે. જૂનની શરૂઆતમાં, અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધોને હળવા કરવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી હતી.

ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા

તમને જણાવી દઈએ કે ભારતીયો ઓગસ્ટ 2023 થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જોકે, ઈ-વિઝા જારી કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોચના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે.

2023માં 60,000 થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી

મોટાભાગે ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે. 2023 માં 60,000 થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી, જે 2022 કરતા 26 ટકા વધુ છે. CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. એકલા 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જારી કરવામાં આવ્યા હતા.

આ દેશોના નાગરિકોને રશિયામાં વિઝા ફ્રિ એન્ટ્રી

રશિયા હાલમાં તેના વિઝા-મુક્ત પ્રવાસી વિનિમય કાર્યક્રમ દ્વારા ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપે છે. હવે રશિયા ભારત સાથે વિઝા ફ્રી ટ્રાવેલ પર વિચાર કરી રહ્યું છે.

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *