B INDIA ભાવનગર : ભાવનગરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. તળાજા તાલુકાના નવા સાંગણા ગામે મોડી રાત્રીના સમયે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું મારણ કર્યુ છે. દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. અને અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યું છે. ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો હુમલો કરી રહ્યો છે.
જેને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, વન વિભાગને પણ આ વાતની જાણ છે તેમ છત્તા વન વિભાગ દીપડાને પકડવાનું કામ નથી કરી રહ્યું, ,આ વાત એક વખતની નથી લાંબા સમયથી છે. દીપડાએ અનેક વાર વાડામાં જંપલાવીને મારણ કરતો હોય છે.
-> દીપડાએ કર્યુ પશુનું મારણ :- મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં જંગલમાં આવેલા કદમખંડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે. કદમખંડી વિસ્તારમાં રહેતા મોહનભાઈ સરદારભાઈ બારિયાના ઘર આગળ બાંધેલા વાછરડાંનું દીપડાએ મારણ કર્યું હતું. દીપડાએ મારણ કર્યું હોવાની વાતથી ગામની આસપાસના પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. વિરપુર તાલુકાના રસુલપુર ગામ ખાતે આવેલા કદમખંડી વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલો દીપડો ઘર સુધી પહોંચી ગયો હતો. જ્યાં ઘરની સામે બાંધેલા વાછરડાને લઈને જંગલ વિસ્તારમાં ભાગી ગયો હતો પછી વાછરડાનું મારણ કરી આહાર કર્યો હતો.






