ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સિરિઝની ત્રીજી મેચ, રાજકોટમાં સાંજના 7 વાગ્યે થશે શરુ

B INDIA રાજકોટ : આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાનાર છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટી 20 સાંજના 7 વાગ્યે શરુ થશે. અને 11ની આસપાસ પૂરી થઈ જશે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. જીત સાથે ભારત ટી 20 સીરિઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સીરિઝ જીતી થશે, અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે.

-> ભારત સીરિઝમાં 2-0થી આગળ :- ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે, જીતની સાથે ભારત સીરિઝ જીતી જશે. ત્યાર બાદ ચોથી ટી 20 પુણેમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી ટી 20 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

-> છેલ્લી ટી 20 ક્યારે રમાઈ હતી :- રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને 91 રને હરાવીને ટી 20 જીતી હતી. આ ટી 20માં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન ફટકાર્યાં હતા.

-> નિરંજન શાહ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત :- પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. જેમાં 1 એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, 31 PSI સહિત 400 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. અમદાવાદ તરફથી આવતા વાહનોને બેડી ચોકડીથી મિતાણા ટંકારા તઈ જામનગર ધ્રોલ તરફ જઈ શકશે. જ્યારે માધાપર ચોકડી તેમજ ઘંટેશ્વર ટી પોસ્ટથી ભારે વાહનો જામનગર રોડ પર જઈ શકશે નહી.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *