ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 સિરિઝની ત્રીજી મેચ, રાજકોટમાં સાંજના 7 વાગ્યે થશે શરુ

B INDIA રાજકોટ : આજે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત-ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાનાર છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટી 20 સાંજના 7 વાગ્યે શરુ થશે. અને 11ની આસપાસ પૂરી થઈ જશે. પાંચ મેચોની ટી 20 સીરિઝમાં હાલમાં ભારતનું પલડું ભારે છે, ભારત 2-0થી આગળ છે. જીત સાથે ભારત ટી 20 સીરિઝમાં 3-0 આગળ થઈ જશે અને આ રીતે તેને સીરિઝ જીતી થશે, અને જો હારે તો પણ મહેમાન ઈંગ્લેન્ડ કરતાં પણ આગળ હશે. જીતની સાથે ભારત પાસે ઈંગ્લેન્ડ ટીમનો વ્હાઈટ વોશ કરવાની પણ તક હશે.

-> ભારત સીરિઝમાં 2-0થી આગળ :- ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે, જીતની સાથે ભારત સીરિઝ જીતી જશે. ત્યાર બાદ ચોથી ટી 20 પુણેમાં 31 જાન્યુઆરીએ અને પાંચમી ટી 20 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે.

-> છેલ્લી ટી 20 ક્યારે રમાઈ હતી :- રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતે શ્રીલંકાને 91 રને હરાવીને ટી 20 જીતી હતી. આ ટી 20માં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન ફટકાર્યાં હતા.

-> નિરંજન શાહ સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત :- પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે. જેમાં 1 એસપી, 4 ડીવાયએસપી, 9 પીઆઈ, 31 PSI સહિત 400 થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. અમદાવાદ તરફથી આવતા વાહનોને બેડી ચોકડીથી મિતાણા ટંકારા તઈ જામનગર ધ્રોલ તરફ જઈ શકશે. જ્યારે માધાપર ચોકડી તેમજ ઘંટેશ્વર ટી પોસ્ટથી ભારે વાહનો જામનગર રોડ પર જઈ શકશે નહી.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *