બાંગ્લાદેશમાં બંધારણને બદલવાના ઉદ્દેશ્ય સાથે આજે વિદ્યાર્થીઓનું પ્રદર્શન, 30 લાખથી વધુ લોકો એકત્ર કરવાની યોજના

શું બાંગ્લાદેશમાં ફરી બળવો થશે? બાંગ્લાદેશના લોકોના મનમાં આ પ્રશ્ન ફરી ઉઠી રહ્યો છે કારણ કે જે વિદ્યાર્થી નેતાઓએ જુલાઈ ક્રાંતિનું આહ્વાન કર્યું હતું અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઉથલાવી હતી, આજે ફરી એ જ વિદ્યાર્થી નેતાઓ ઢાંકાના શહીદ મિનાર ખાતે એકઠા થવા જઈ રહ્યા છે. અહીંથી ક્રાંતિની જાહેરાત કરવામાં આવશે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશના બંધારણને બદલવાનો છે.આ સભા માટે 30 લાખથી વધુ લોકોને એકત્ર કરવાની યોજના છે. જમાત-એ-ઈસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો આ બેઠકનો ઘણો પ્રચાર કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓની અપીલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસની સરકાર પણ વિદ્યાર્થી નેતાઓ સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે.

-> સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની જાહેરાત કરવા જઈ રહી છે :- ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરી રહેલા મોહમ્મદ યુનુસની પ્રેસ વિંગે કહ્યું છે કે સરકાર ‘જુલાઈ ક્રાંતિ’ની જાહેરાત કરવા જઈ રહી છે. આમાં તમામ રાજકીય પક્ષો અને વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવશે. આ પછી વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં વિદ્યાર્થી નેતાઓએ કહ્યું હતું કે, ‘જુલાઈ ક્રાંતિની જાહેરાત સરકાર નહીં પણ અમે કરીશું અને આજે શહીદ મિનાર ખાતે યોજાનારી રેલીમાં તેની જાહેરાત કરવામાં આવશે.’આ ચળવળના કો-ઓર્ડિનેટર હસનત અબ્દુલ્લાએ કહ્યું, ‘અમે અમારો નિર્ણય ટૂંક સમયમાં આપીશું.’ જોકે, આ પછી મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. તેમણે કહ્યું, ‘જુલાઈ ક્રાંતિની જાહેરાત કરવાની સરકાર તરફથી કોઈ તૈયારી નથી.’

-> ક્રાંતિ સાથે શું ફેરફાર કરવાની યોજના છે? :- આ ક્રાંતિ અંતર્ગત બંધારણ બદલવાની આડમાં સૌથી પહેલા બાંગ્લાદેશનું નામ બદલી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશનું નામ બદલીને ઈસ્લામિક રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ, ઈસ્લામિક ખિલાફત ઓફ બાંગ્લાદેશ અને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈસ્ટ પાકિસ્તાન કરી શકાય છે. આ સિવાય દેશમાં સુન્નત અને શરિયા પણ લાગુ કરી શકાય છે. અફવાઓમાં એવી પણ ચર્ચા છે કે આ બેઠક બાદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પાસેથી રાજીનામું લઈ શકાય છે અને મોહમ્મદ યુનુસને નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવી શકે છે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *