પટનાના ગાંધીમેદાનમાંથી પોલીસે પ્રશાંત કિશોરની ધરપકડ કરી , JDU નેતાએ કહ્યું ‘ડ્રામેબાજ’ નેતા

બિહારની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો છે. પટના પોલીસે સવારે પ્રશાંત કિશોરની ગાંધી મેદાનમાંથી ધરપકડ કરી છે. પોલીસ તેમને લઇને એમ્સ પહોંચી હતી. જ્યાં પ્રશાંત કિશોરે સારવાર લેવાનો ઇન્કાર કરી દીધો હતો..એમ્સની બહાર મોટી સંખ્યામાં પ્રશાંત કિશોરના સમર્થકો ઉમટ્યા હતા, પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.. થોડા સમય પછી પ્રશાંત કિશોરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે બીજી તરફ પીકેની ધરપકડને લઈને નિવેદનબાજી તેજ થઇ ગઇ છે.પ્રશાંત કિશોરની ધરપકડને લઈને JDU MLC નીરજ કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પીકેને ડ્રામેબાજ નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે વહીવટીતંત્રની અપીલ ન માનીને હઠ પર ચઢેલા પીકે આંદોલન ચલાવી રહ્યા હતા.

-> પીકે પોલિટિકલ ડ્રામા કરી રહ્યા છે :- જેડીયુ એમએલસી નીરજકુમારે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોર ગાંધી મેદાનમાં હાઈકોર્ટના નિર્દેશનો સતત અનાદર કરી રહ્યા હતા. વહીવટીતંત્ર આગ્રહ કરી રહ્યું હતું પરંતુ તેઓ જીદ પર અડ્યા રહ્યા હતા..

-> પીકે પોતાનો રાજકીય ચહેરો ચમકાવવા માંગે છે :- નીરજ કુમારે કહ્યું કે પીકે માત્ર પ્રસિદ્ધિના ભૂખ્યા છે અને બિહારના લોકો જાણે છે કે અત્યંત પછાત વર્ગની આંગણવાડી કાર્યકરનો પુત્ર આજે BPSCનો ટોપર બન્યો છે, તો તે માત્ર પરીક્ષામાં પારદર્શિતાના કારણે જ શક્ય બન્યું છે. તેમણે પ્રશાંત કિશોર પર નિશાન સાધતા કહ્યું કે કંપની ચલાવવી અલગ બાબત છે અને રાજનીતિ કરવી અલગ બાબત છે. રાજકારણ એ તમારી ક્ષમતા બહારની વસ્તુ છે. કારણ કે તમે વેનિટી વાનમાં રહેતા લોકો છો. આવા આરામદાયક જીવન ધરાવતા લોકો છો, જનતા આવા લોકોને પસંદ નથી કરતી અને નવી પેઢી જાણે છે અને ઓળખે છે કે તમારે માત્ર રાજકારણમાં ચમકવું છે.

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *