અમદાવાદમાં એરપોર્ટ પરથી સાત કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આરોપીની પૂછપરછમાં થઈ શકે છે મોટો ખુલાસા

B INDIA અમદાવાદ : અમદાવાદમાં હવે થોડા-થોડા સમયના અંતરે ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. હજી માંડ બે દિવસ પહેલા લાલ દરવાજામાં 27 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું, આટલું ઓછું હોય તેમ હવે અમદાવાદ એરપોર્ટ પરથી સાત કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સ પોલીસે નહી પરંતુ કસ્ટમ વિભાગે ઝડપી પાડયું છે. મુસાફર ફલાઈટમાંથી બહાર નીકળ્યો અને તપાસ દરમિયાન 4.6 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં મુસાફર બેંગકોકથી અમદાવાદ આવી રહ્યો હતો. અને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝડપાઈ ગયો છે. હાઇડ્રોપોનિક વીડના વેક્યુમનાં 10 પેકેટ મુસાફર પાસેથી મળી આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કસ્ટમ્સને આ ડ્રગ્સને લઈને બાતમી મળી ગઈ હતી. તેના પગલે કસ્ટમ્સે એરપોર્ટ પર ચેકિંગ ડબલ કરી નાખ્યુ હતું. અને કસ્ટમ્સ વિભાગના ટોચના અધિકારીઓ પણ આ આખા ઓપરેશનમાં સામેલ હતા. સામાન્ય રીતે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીથી આવતું સોનું પકડાતું હોય છે, પરંતુ હવે ડ્રગ્સ પણ પકડાવવા લાગ્યું છે.કસ્ટમ્સ વિભાગે આરોપીની ધરપકડ કરીને તેને અમદાવાદ પોલીસને સુપ્રદ કર્યો છે. અમદાવાદ પોલીસે તેને પકડીને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ ડ્રગ્સ અમદાવાદ આવ્યું તેનો સીધો અર્થ એમ થાય કે અમદાવાદમાં તેને ક્યાંક સપ્લાય કરવાનું હતું.

અથવા તો અમદાવાદ તેનો ટ્રાન્સપોર્ટ રૂટ હતું. આ પકડાયેલા ડ્રગ્સના છેડા ક્યાં-ક્યાં અડી રહ્યા છે. તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. પોલીસ અધિકારીઓ પણ સાત કરોડનું ડ્રગ્સ પકડાવવાના પગલે ચોંકી ઉઠ્યા છે. પકડાયેલો આરોપી ફક્ત પેડલર છે કે પોતે જ માલ લાઈને સપ્લાય કરે છે. તેના પર કોના હાથ છે, તે કોના હાથ નીચે કામ કરે છે તેવા અનેક સવાલોના જવાબ મેળવવામાં પોલીસ લાગેલી છે. આગામી સમયમાં આ ડ્રગ્સ કાંડને લઈને કોઈ મોટો ખુલાસો થાય તો નવાઈ નહીં.

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *