ખેડૂતો માટે માઠા સમાચાર, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો

સરકારે ખેડૂતોનાં માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફ્કો દ્વારા સીધો 250 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ, 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે.

-> ઈફ્કોએ કર્યો ભાવ વધારો :- ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામં મળી રહેતી હતી. તેને બદલે હવે તેઓને 250 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો છે.

-> ખેડૂતોમાં આક્રોશ :- રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો છે. ઇફ્કોએ રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી.

Related Posts

અમદાવાદમાં AMTS અને BRTSના 13 ડ્રાઈવરો સસ્પેન્ડ, મુસાફરો સાથે ગેરવર્તન અને ઓવરસ્પીડિંગ બદલ કાર્યવાહી

અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને મુસાફરમૈત્રી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ કડક કાર્યવાહી હાથ ધરી છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ફરજમાં ગંભીર બેદરકારી, ટ્રાફિક નિયમોનો ભંગ અને…

અમદાવાદના ખાનપુરમાં ભાજપ કાર્યાલય બહાર વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી, બે ઈજાગ્રસ્ત; ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયની બહાર ગુરુવારે એક વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૃક્ષ રસ્તા પર પડતાં ત્યાં પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *