ખેડૂતો આનંદો! અરવલ્લીમાં શિયાળુ પાકને લઈ સિંચાઈ માટે પાણી છોડાયું

અરવલ્લીમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. જેમાં ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું અને ખેડૂતોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે. માલપુર અને બાયડના ખેડૂતોને ફાયદો થશે. સાથે સાથે હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકનું વાવેતર કરી રહ્યાં છે.ત્યારે જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અરવલ્લીના ખેડૂતોની ઘણા સમયથી માગ હતી કે, શિયાળુ પાકને લઈ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોની આ માગ પૂર્ણ થઈ છે.

ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે જેમાં માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે. ખેડૂતોના ઘઉં,ચણા, જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે. તો બીજી તરફ માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ ગામની જમીનને સિંચાઈનો લાભ મળશે. અને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં આનંદો છવાયો છે.

-> પાણી પુરવઠાના મંત્રીએ યોજી હતી બેઠક :- ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે ત્યારે શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આયોજન કરી નાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે, ઉંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર કેટલાક મહત્વના નિર્ણયો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.

Related Posts

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે: પવનની દિશા બદલાતા તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઉછાળો

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવને કારણે રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે. રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન…

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *